સરખેજ વોર્ડમાં આવેલ કૃષ્ણધામ આવાસ યોજનામાં હાલ ઈન્ડસ ટાવર ઉભું કરવામાં આવે છે. આ ટાવરની બરોબર બાજુમાં મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળા આવેલ છે. આ ટાવરનાં કિરણોને લીધે બાળકોનાં સ્વાસથ્ય સાથે ચેડા થશે. જો આ પરમીશન તંત્રએ આપી હોય તો સરખેજનાં કોર્પોરેટર અરવિંદ પરમારે તંત્રને કામ રોકી દેવા અપીલ કરી છે.