રાજ્યનાં અન્ન-નાગરિક-પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાની પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે એસો.નાં પ્રમુખ શ્રી અરવિંદભાઈ ઠક્કરે મંત્રી રાદડિયાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન વતી પ્રમુખ અરવિંદ ઠક્કરે તેમને પડતી નાની-મોટી મુશ્કેલીઓની રજુઆત મંત્રી જયેશ રાદડિયા સમક્ષ કર્યા બાદ શ્રી જયેશ રાદડિયાએ વહેલામાં વહેલી તકે તેમની મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે શ્રધ્ધા પેટ્રોલિયમનાં માલિક અને ‘આપણું ગુજરાત’નાં તંત્રી શ્રી દેવેન વર્માએ મંત્રી જયેશ રાદડિયાને શુભેચ્છા પાઠવી હતી.
પાછલી પોસ્ટ