બોલિવુડ એક્ટર અર્જુન કપૂરે પોતાની ત્રણેય બહેનો અંશુલા, જ્હાન્વી અને ખુશી કપૂર સાથે વેકેશન પર જવાનો પ્લાન બનાવ્યો છે. ચારેય ભાઈ-બહેન લંડનમાં સાથે સમય વિતાવશે અને એકબીજાને વધુ સારી રીતે ઓળખવાનો પ્રયાસ પણ કરશે. અર્જુન કપૂર અત્યારે ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ પત્યા બાદ અર્જુન ત્રણેય બહેનો સાથે ટ્રિપ પર જશે. કહેવાય છે કે સોનમ કપૂરના લગ્ન બાદ ટ્રિપ માટે લંડન રવાના થશે. સોનમે લંડનમાં ઘર ખરીદ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સોનમ પણ લગ્ન બાદ આનંદ આહુજા સાથે લંડન શિફ્ટ થઈ જશે. ગયા વર્ષે અર્જુન કપૂરને એક ઈંટરવ્યૂમાં સાવકી બહેનો સાથેના સંબંધ અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે અર્જુને કહ્યું હતું કે, તે ખુશી અને જ્હાન્વીને કદી મળતા નથી અને વાત પણ કરતા નથી. એટલે બોન્ડિંગનો તો સવાલ જ નથી ઉઠતો. જો કે શ્રીદેવીના નિધન બાદ અર્જુન અને અંશુલા મળીને બંને નાની બહેનોનું ધ્યાન રાખી રહ્યા છીએ. થોડા દિવસ પહેલાં જ ખબર આવી હતી કે અર્જુન અને અંશુલા પિતા બોની કપૂરના બંગલામાં શિફ્ટ થવાના છે. થોડા સમય પહેલા બોની કપૂર જ્હાન્વી અને ખુશીને લઈને અર્જુનના ઘરે ગયા હતા, જ્યાં પૂરા પરિવારે ડિનર કર્યું હતું. અર્જુન જે રીતે પોતાની બહેન અંશુલા માટે પ્રોટેક્ટિવ છે, તેવી જ રીતે હવે ખુશી અને જ્હાન્વી માટે વિચારે છે. અર્જુનના ઘરની બહાર જ્યારે જ્હાન્વી ઉતરી હતી ત્યારે તેની ડ્રેસને લઈને એક વેબસાઈટે ખરાબ કમેંટ કરી હતી. આ વાંચીને અર્જુન કપૂરને ગુસ્સો આવ્યો હતો અને તેણે તે વેબસાઈટને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.
પાછલી પોસ્ટ