Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૬ સુધી કાર્તિની ઇડી ધરપકડ કરી શકશે નહીં

સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વચગાળાની રાહત આપી હતી. ૨૬મી માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે તેમની ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે હાઈકોર્ટે ૨૦મી માર્ચથી ૨૨મી માર્ચ દરમિયાન ઇડી કેસમાં ધરપકડથી કાર્તિના રક્ષણને લંબાવી દેવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલી વચગાળાની રાહતને ૨૬મી માર્ચ સુધી લંબાવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેલા આ મામલાને તેની પાસે ટ્રાન્સફર કર્યો છે. દેશમાં હાઈકોર્ટના કેટલાક ચુકાદા વિરોધાભાષી આવી રહ્યા છે. આ બાબતની નોંધ લઇને આ નિર્ણય લેવાયો છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવીલકર તેમજ ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે કહ્યું હતું કે, તે ૨૬મી માર્ચના દિવસે આ મામલામાં સુનાવણી હાથ ધરશે. ટોપની અદાલત પીએમએલએની કલમ ૧૯ના સંદર્ભમાં પ્રશ્નોના જવાબ મેળવશે. અગાઉ ૯મી માર્ચના દિવસે દિલ્હી હાઈકોર્ટે કાર્તિ ચિદમ્બરમને ઇડીના મની લોન્ડરિંગ મામલામાં ૨૦મી માર્ચ સુધી ધરપકડથી વચગાળાની રાહત આપી હતી. હવે આ રાહતને ૨૬મી માર્ચ સુધી વધારી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કાર્તિ ચિદમ્બરમની ૨૬મી માર્ચ સુધી ધરપકડ કરી શકશે નહીં. કાર્તિ ઉપર આઇએનએક્સ મિડિયા કેસમાં લાંચ લેવાનો આરોપ છે. તેમના ઉપર સહકાર નહીં આપવાનો પણ આક્ષેપ છે. ગયા વર્ષે ૧૫મી મેના દિવસે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરના સંંબંધમાં બ્રિટનમાંથી પરત ફર્યા બાદ ચેન્નાઈ વિમાની મથક ખાતે ૨૮મી ફેબ્રુઆરીના દિવસે કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં ગેરરીતિને લઇને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે વર્ષ ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની રકમ લઇ લેવા આઇએનએક્સ મિડિયાને કહ્યું હતું તે વખતે કાર્તિના પિતા ચિદમ્બરમ નાણા મંત્રી તરીકે હતા. સીબીઆઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, એફઆઈપીબીની મંજુરી મેળવવા માટે લાંચ તરીકે કાર્તિ ચિદમ્બરમે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમ સામે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા સમન્સ ઉપર સ્ટે મુકવાનો ઇન્કાર કર્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં કાર્તિ અને અન્યો સામે ઇડીએ કેસ દાખલ કર્યો હતો. કાર્તિ ચિદમ્બરમ આઈએનએક્સ મિડિયા કેસમાં સીબીઆઈ કસ્ટડીમાં છે.

Related posts

मनी लॉन्ड्रिंग केस : ईडी ने मांगी रॉबर्ट वाड्रा की हिरासत

aapnugujarat

પાઠ્યપુસ્તકમાં મસ્જિદની અઝાન પ્રદુષણનું કારણ

aapnugujarat

संस्थाओं को नष्ट करने में जुटी हैं बीजेपी सरकार : राहुल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1