Aapnu Gujarat
ગુજરાત

છેલ્લા બે વર્ષમાં ૧૫૯૭૦ નમૂનાનું પરીક્ષણ કરાયું છે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો સહિત આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખોરાક ઔષધ નિયમન તંત્રની ૩ પ્રયોગશાળાઓ કાર્યરત છે જેના દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૫,૯૭૦ નમુનાઓનું પરીક્ષણ કરાયું છે. વિધાનસભા ખાતે રાજ્યમાં ખોરાક ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળાઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વડોદરા, રાજકોટ અને ભૂજ ખાતે ત્રણ તથા અમદાવાદ મહાનગરપાલિકાની એક મળી કુલ ચાર પ્રયોગશાળા કાર્યરત છે. જેના દ્વારા દુધ, ખાદ્ય પદાર્થ પેકીંગમાં હોય તે તમામનું ચેકીંગ કરાય છે. આ ચારેય લેબોરેટરી અદ્યતન સુવિધાઓની સજજ છે અને દેશમાં માન્યતા પ્રાપ્ત છે. તેમણે ઉમેર્યું કે, વડોદરાની પ્રયોગશાળામાં ૮૫૫૯ રાજકોટમાં ૩૭૩૭, ભુજમાં ૩૬૮૦ મળી કુલ ૧૫,૯૭૦ નમૂનાઓનું પરીક્ષણ કરાયું છે. જેમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કાયદાકીય રીતે કેસો કરાયા છે જેમાં કુલ ૮૮૦ કેસો કરીને તેમની પાસેથી ૫.૦૨ કરોડના દંડ વસુલાયો છે. રાજ્યની આ ૩ પ્રયોગશાળામાં ૩૪૮ નમૂના અનસબસ્ટાન્ડર્ડ, ૪૫૭ નમૂના મીસબ્રાન્ડ અને ૩૩ નમૂના અનસેફ જાહેર થયા છે. તે જ રીતે રાજકોટમાં ૨૫૨ નમૂના અનસબસ્ટાન્ડર્ડ, ૪૦ નમૂના મીસબ્રાન્ડ, ૩૧ અન સેફ તથા ભૂજની પ્રયોગશાળા દ્વારા ૭૫ નમૂના અનસબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

Related posts

નરોડા ખાતે રૂપાણીના રોડ શોમાં લોકો ઉમટી પડ્યાં

aapnugujarat

મેટ્રોનાં પ્રથમ ૩ કોચ પહોંચ્યાં અમદાવાદ, ૧૫ જાન્યુઆરી બાદ ટ્રાયલ

aapnugujarat

સાબરકાંઠામાં નદી નાળામાં પાણી આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1