પદ્માવતની સુપર સફળતા બાદ એકબાજુ રણવીર સિંહ અને દીપિકા ચારેબાજુ છવાયેલા છે ત્યારે નિર્દેશક સંજય લીલા ભણસાલી પણ તેમના જાદુથી બહાર આવી શકતા નથી. આ ત્રેણયની જોડીએ વિતેલા વર્ષોમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવી છે. આજ કારણ છે કે રણવીર અને દીપિકાની સાથે સંજય લીલા વધુ કેટલીક ફિલ્મો બનાવવા માટે ઇચ્છુક છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સંજય લીલા દીપિકા અને રણવીર સાથે વધુ ત્રણ ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. હવે જોવાલાયક બાબત એ છે કે દીપિકા અને રણવીર આના માટે તૈયાર થાય છે કે કેમ . કારણ કે તમામ લોકો સારી રીતે જાણે છે કે સંજય લીલા એવા નિર્દેશક તરીકે જાણીતા છે જે પોતાની ફિલ્મ માટે સમય ખુબ લે છે. પદ્માવત પણ લાંબા સમય સુધી ટળી ગઇ હતી. જો કરાર થાય તો રણવીર અને દીપિકાને વધારે સમય આપવો પડી શકે ચે. આવી સ્થિતીમાં તેમની પાસે વધારે ફિલ્મો આવી શકે નહી. સંજય લીલા મોટા ભાગે ઇતિહાસ પર આધારિત ફિલ્મ બનાવે છે જેમાં સમય વધારે જરૂર હોય છે. જો દીપિકા ત્રણ ફિલ્મ બનાવવા માટે રાજી થાય છે તો છ વર્ષની ડેટ આપવી પડી શકે છે. આટલા મોટ પાયે બન્ને કલાકારો જોખમ લેશે કે કેમ તે બાબત શક્ય દેખાતી નથી. સંજય લીલા દીપિકાથ હમેંશા પ્રભાવિત રહ્યા છે. રણવીરની પણ તે પ્રશંસા કરતા થાકતા નથી. તેમનુ કહેવુ છે કે રણવીર જેટલી સરળતાથી તેમની બાબતોને સમજે છે તેટલી અન્ય કોઇ કલાકાર સમજી શકતા નથી. રણવીર હાલમાં ગલી બોયને લઇને અને દીપિકા પોતાની આગામી ફિલ્મ જીરોને લઇને વ્યસ્ત છે. આનંદ એલ રાયના નિર્દેશકમાં બની રહેલી ફિલ્મમાં તે મહેમાન કલાકાર છે. દીપિકા હાલમાં નંબર વન સ્ટાર છે.
આગળની પોસ્ટ