Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

બજારમાં તેજી : સેંસેક્સમાં ૨૯૫ પોઇન્ટ સુધી સુધારો

શેરબજારમાં આજે કારોબારીઓ માટે આજે રાહતનો દિવસ રહ્યો હતો. પ્રથમ દિવસે જ આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૯૫ પોઇન્ટ ઉછળને ૩૪૩૦૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૫ પોઇન્ટ ઉછળીને ૧૦૫૩૯ની સપાટીએ રહ્યો હતો. આજે તેજીના ગાળા દરમિયાન મોટાભાગના શેરોમાં આશાસ્પદ સ્થિતિ રહી હતી. આના માટે હકારાત્મક પરિબળો પણ જવાબદાર દેખાઈ રહ્યા છે. હાલમાં સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં ૨.૮૪ ટકા અને સેંસેક્સમાં ૩.૦૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૪ની સપાટીએ રહ્યો હતો. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આર્વ્યો હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. ૧૩મી ફેબ્રુઆરીના દિવસે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ, જેટએરવેઝ, નેસ્ટલે ઇન્ડિયા, સનફાર્મા, તાતા પાવરના પરિણામ જાહેર કરાશે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. ડિસેમ્બર આઈઆઈટીના આંકડા, જાન્યુઆરી સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. જાન્યુઆરી ૨૦૧૮ માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો બુધવારના દિવસે જારી કરાશે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૩.૫૮ ટકા હતો. નવેમ્બર મહિનામાં ૩.૯૩ ટકા રહ્યો હતો જ્યારે ગયા વર્ષેે ડિસેમ્બર ૨.૧ ટકા રહ્યો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે હાલમાં શેરબજારમાં ૨૦૦૦ પોઇન્ટથી વધુનો કડાડો બોલી ગયો હતો.

Related posts

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

aapnugujarat

ગુજરાતમાં ફરી અદાણી સીએનજી ૭૫ પૈસા મોંઘો થયો

aapnugujarat

HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ઉપર લેટ પેમેન્ટ ચાર્જ વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1