દુનિયાભરમાં પાકિસ્તાનની અંદર અસ્તિત્વ ધરાવતા આતંકવાદને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. તેની અસર હવે પાકિસ્તાનના નાગરિકો પર પણ જોવા મળી રહી છે. ખૈબર પખ્તૂનખ્વાં વિસ્તારમાં પાકિસ્તાનના નાગરિકોએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો છે. સૂત્રોચ્ચાર કરી રહેલી પાકિસ્તાની આવામની ઉગ્ર ભીડે અહીં હાજરી ધરાવતા તાલિબાનોની ઓફિસને પણ આગચંપી કરી છે.પાકિસ્તાનમાં થઈ રહેલા પરિવર્તનનો વીડિયો પણ સામે આવ્યો છે. અહીં ગુસ્સે ભરાયેલી ભીડે પાકિસ્તાનની અંદર સળવળી રહેલા આતંકવાદના વિરોધના સ્વરૂપે સૂત્રોચ્ચાર કર્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદ માટે અહીંની આવામ પાકિસ્તાની સેનાને જવાબદાર ઠેરવી રહી છે. આતંકવાદનો વિરોધ કરી રહેલા ખૈબરપખ્તૂનખ્વાંના લોકો સૂત્રો પોકારી રહ્યા હતા કે યે જો દહશતગર્દી હૈ. ઈસકે પીછે વર્દી હૈ.પાકિસ્તાનમાં આવા પ્રકારના પ્રદર્શનો પહેલા પણ થતા રહ્યા છે. આ સિવાય પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પણ ઘણાં વિસ્તારોમાં પાકિસ્તાનની સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને દેખાવોના વીડિયો સામે આવી ચુક્યા છે.