Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સાથે છેડો ફાડવાનો હાલમાં ટીડીપીનો ઇનકાર

સામાન્ય બજેટમાં આંધ્રપ્રદેશની અવગણના કરવામાં આવ્યા બાદ અને રાજ્યને પુરતા પ્રમાણમાં ફંડ નહીં મળવાથી નારાજ તુલુગુદેશમ પાર્ટીએ ભાજપની સામે પ્રહારો કર્યા છે. જો કે, ભાજપ સાથે સંબંધો તોડી દેવાનો ઇન્કાર કરાતા આને લઇને ચાલતી અટકળોનો અંત આવ્યો છે. પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પાર્ટીની તાકિદની બેઠક બોલાવી હતી. પાર્ટીના એક સાંસદે ભાજપની સામે પ્રહારો પણ કર્યા હતા. બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જો કે, આ બેઠકમં એનડીએ સાથે છેડો નહીં ફાડવાનો નિર્ણય કરાયો હતો. ચંદ્રાબાબુ નાયડુએ આ બેઠકને લઇને તમામ સાથે વાતચીત કરી હતી. રવિવારના દિવસે ટીડીપીની સંસદીય બોર્ડની બેઠક પણ થનાર છે. અગાઉ એવા સંકેત મળ્યા હતા કે, એનડીએ સાથે તે છેડો ફાડી લેશે. શિવસેના પહેલાથી જ એનડીએથી અલગ ચૂંટણી લડવાની વાત કરી ચુકી છે.

Related posts

पशु बिक्री के नए नियमों में बीफ खाने पर प्रतिबंध नहीं : केरल हाईकोर्ट

aapnugujarat

મંદિરમાંથી ચોર સોનાનો કળશ ઉઠાવી ગયા

aapnugujarat

मानहानि केस : गुजरात की सूरत कोर्ट में राहुल गांधी ने नहीं कबूला गुनाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1