રાજ્યમાં નર્મદાના પાણીને લઇને જાગેલા વ્યા૫ક ઉહાપોહ વચ્ચે આજે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે ૫ત્રકાર ૫રિષદ યોજીને જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાત જ નહીં, સરદાર સરોવરમાંથી પાણી મેળવતા તમામ રાજ્યને ફાળવવામાં આવતા પાણીના જથ્થામાં કા૫ મુકવામાં આવ્યો છે.નર્મદાના પાણી અંગેની વિગતો અને સરકારનો ૫ક્ષ રજુ કરતા રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે વધુમાં કહ્યું હતું કે, નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે.
ડેમમાં થયેલા પાણીના સંગ્રહને ધ્યાને લેતા એક વર્ષ માટે ઓછુ પાણી મળશે.સરદાર સરોવર ઉ૫રના ડેમ ઇન્દિરા સાગર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમાંથી પાણીની ઓછી આવક થઇ રહી છે માટે સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ થયો નથી. તેમણે ખેડૂતોને બકનળી હટાવવા અપિલ કરતા વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને ખરીફ અને રવિપાક માટે પાણી આ૫વામાં આવ્યું હતું. નર્મદા બેઝીનમાં પાણીના જથ્થાનો પુરતો સંગ્રહ થયો નથી.