Aapnu Gujarat
બિઝનેસ

સરકારી ઈન્શ્યોરન્સ યોજનાઓ મર્જ થશે

નાણામંત્રાલય તમામ સરકાર સ્પોન્સર્ડ વીમા કવરેજને તેની મુખ્ય લાઇફ તથા જનરલ વીમા યોજનાની અંદર આવરી લેવા વિચારણા કરી રહ્યું છે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની વ્યક્તિગત યોજનાઓને પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના તથા પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બિમા યોજના સાથે ભેળવી દેવા વિવિધ રાજ્યો તથા કેન્દ્રીય મંત્રાલયો સાથે વાટાઘાટ ચાલી રહી છે.આ બે યોજનાઓમાં સાથે મળીને ૧૮ કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ છે અને કન્સોલિડેશનથી આ મોટી યોજનાઓ માટે સ્કેલમાં વધારો થશે. આમઆદમી બિમા યોજના એક એવી યોજના છે કે જેને સરળતાથી ૧૮થી લઈને ૫૦ વર્ષ સુધીના લાભાર્થીઓ માટે પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બિમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના સાથે ભેળવી શકાય તેમ છે. એએેબીવાય કુદરતી મૃત્યુના સંદર્ભમાં ૩૦,૦૦૦ની રકમ તથા આકસ્મિક મૃત્યુના સંજોગોમાં ૭૫,૦૦૦ માટે વીમા કવચ ઉપલબ્ધ કરાવે છે.ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો તે અધિકારીએ જણાવ્યું હતું કે, આશરે આઠ યોજનાઓ એવી છે જેને ભેળવી પણ દેવામાં આવી છે અને કેટલાક અન્ય ખાતાઓ સાથે પણ વાટાઘાટ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આશરે ૮૦ લાખ કામદારોને આ કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.જન ધન સે સુરક્ષા મારફત સરકાર વીમા અને પેન્શન સ્કીમો માટે પણ એક પોર્ટલની પણ રચના કરશે. સ્કીમોના દૃઢીકરણ તથા વીમા લાભાર્થીઓનું આધાર સિડિંગ સરકારને એવા લોકોની ઓળખ કરાવશે કે જેઓ કોઈ વીમા કવચ ધરાવતાં નથી તથા તેમને ફાઇનાન્શિયલ સર્વિસિસના ઔપચારિક ફોલ્ડર હેઠળ લવાશે.કેટલાંક રાજ્યોને એકત્રીકરણનો વિચાર પસંદ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે એકવાર એમ કરવામાં આવશે પછી અમારી પાસે એક જ પોર્ટલ હશે કે જ્યાં અમારી પાસે વીમા કવચ અંગેની વિગતો હશે અને જે લોકો તેના કવચની બહાર હશે તેમને ખાસ લક્ષ્ય બનાવવામાં આવશે.હાલમાં, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બિમા યોજના હેઠળ ૫.૩ કરોડ લોકોને વીમા કવચ આપવામાં આવ્યું છે, જેમાં ૩૩૦ના વાર્ષિક પ્રીમિયમ ભરવાથી બે લાખનું વીમા કવચ એક વર્ષ માટે રિન્યૂ કરવાની ઓફર છે. પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના હેઠળ આશરે ૧૩ કરોડ લોકોને વીમા કવચ આપવામાં આવ્યું છે અને તેમાં વાર્ષિક ૧૨નું પ્રીમિયમ ભરવાથી બે લાખનું આકસ્મિક મોત અથવા પંગુતા કવચ છે.કેપીએમજીના તાજેતરના એક અહેવાલ અનુસાર, સરકાર એમએસએમઇ તથા અન્ય બિનસંગઠિત સેક્ટર્સમાં કામ કરતાં કામદારોની ઓળખ માટે આધાર નેટવર્કને વિસ્તારવાનો લાભ લઈ શકે. તેમણે નોંધ્યું હતું કે, સરકાર અકસ્માત સાથે ક્રિટિકલ હેલ્થકેર કવરેજનો ઉમેરો કરવા દ્વારા પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજનાના વ્યાપમાં વધારો કરવા વધુ વિચારણા કરી શકે.

Related posts

कोर सेक्टर्स की थमी रफ्तार, जून में महज ०.२ फीसदी रही वृद्धि दर

aapnugujarat

ખાસ બિઝનેસ ટ્રાવેલર્સ માટે રેલવે શરૂ કરશે ઓવરનાઈટ (રાતની) ટ્રેન – ઉદય એક્સપ્રેસ

aapnugujarat

પીએનબી ફ્રોડ : સીબીઆઈ દ્વારા વધુ એક FIR દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1