મરોલી-નવસારી રોડ પર ધામણ નજીક આવેલા નાવીન્ય કાયા નેચર, આયુર અને યોગીક વેલનેસ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આવી હતી.
અહીં શિલ્પા શેટ્ટીએ યોગ, આયુર્વેદ અને નેચરોપેથી વિષે તથા તેના જીવનમાં આ અંગેના મહત્વ વિષે ખુલીને વાતો કરી હતી. સાથે જ હાલમાં વાલ્મિકી સમાજ દ્વારા તેણીના થઈ રહેલા વિરોધ અંગે કહ્યું હતું કે, હું ઘણીવાર માફી માંગી ચુકી છું. ડો.કાજલ બાસોતીયા અને નિતીન બાસોતીયા દ્વારા શરૂ કરવામાં આવેલા નાવીન્ય કાયા સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આવેલી શિલ્પા કુન્દ્રા શેટ્ટીએ જણાવ્યું હતું કે, સારું સ્વાસ્થ્ય જ તમને ખુશ રાખી શકે છે. યોગ, આયુર્વેદ, નેચરનું દરેકના જીવનમાં ભરપૂર મહત્વ રહેલું છે. યોગ દ્વારા શરીરને સુડોળ રાખી શકાય છે. જીવનમાં દરેક તબક્કે ખુશ રહેવું હોય તો કોઈપણ આડઅસર વગરની દવાઓ એટલે આયુર્વેદ અને નેચરોપથીનો ઉપયોગ દરેકે કરવો જોઈએ. જેથી શરીરમાં દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. શિલ્પા અને સલમાન દ્વારા કરાયેલી અયોગ્ય ટીપ્પણી બાદ વાલ્મિકી સમાજ રોષે ભરાયો છે. ત્યારે શિલ્પાને આ અંગે પુછાતા તેણીએ કહ્યું હતું કે, મારો ઈરાદો કોઈની લાગણીને હાની પહોંચાડવાનો નહોતો. છતાં અગાઉ પણ ઘણીવાર માફી માંગી ચુકી છે. બે હાથ જોડીને ફરી માફી માંગુ છું. આ વિવાદ પૂર્ણ થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરુ છું.
પાછલી પોસ્ટ