ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી સાડીઓ બહાર પાડવામાં આવી હોવા અંગે કલેક્ટરને કરાયેલી પરિયાદને અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી ૧૨૦૦ સાડીઓ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આ મામલે ૪ વેપારીઓની ધરપકડ કરી છે.સુરતમાં વિમલ હાઉસમાં ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી સાડીઓને વેચવામાં આવતી હોવાનું અને વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેંસ પહોંચડવામાં આવી હોવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ સમસ્ત યુવા આંબેડકર સમાજે રજૂઆત કરી હતી. આરોપીઓ સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સુરતમાં રિંગરોડ પર આવેલા વિમલ હાઉસ પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ભગવાન બુદ્ધની પ્રિન્ટ ધરાવતી સાડી વેચનારા ૪ વેપારીઓની ધરપકડ કરીનવે તેમની પાસેથી ૧૨૦૦ જેટલી આવી સાડીઓ જપ્ત કરી હતી.
પાછલી પોસ્ટ