બોલિવુડની ટોપ સ્ટાર અભિનેત્રીમાં સામેલ રહેલી દિપિકા પાદુકોણ શાહરૂખખાન અભિનિત ડોન-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી નથી. આ સંબંધમાં હાલમાં ચાલી રહેલી અટકળોનો અંત લાવી નિર્માતા રિતેશ સિદ્ધવાનીએ કહ્યુ છે કે ડોન-૩ ફિલ્મમાં દિપિકા કામ કરવા જઇ રહી નથી. ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે. દિપિકા ડોન-૩ ફિલ્મમાં કામ કરનાર છે તે પ્રકારની અટકળો હાલમાં ચાલી રહી હતી. રિતેશે કહ્યુ છે કે પટકથાને લઇને તૈયારી ચાલી રહી છે. ટુંક સમયમાં જ કલાકારોને લઇને જાહેરાત કરવામાં આવનાર છે. તેમના ભાવિ પ્રોજેક્ટ પર વાત કરતા રિતેશે કહ્યુ છે કે હાલમાં અમે કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છીએ. ત્યારબાદ સ્ટોરી-૩ બનાવવામાં આવનાર છે. આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતા બિલકુલ અલગ ફિલ્મ છે. ત્યારબાદ ગોલ્ડ અને ગુલ્લી બોય ફિલ્મ પર કામ કરવામાં આવનાર છે. રિતેશે કહ્યુ છે કે કેટલીક કોમેડી ફિલ્મ ભવિષ્યમાં બનાવવામાં આવનાર છે. ડોન-૩ ફિલ્મ પર મોડેથી કામ શરૂ કરવામાં આવનાર છે. દિપિકાની પદ્માવતિ ફિલ્મ હાલમાં અટવાઇ ગઇછે. કારણ કે રાજપુત સમુદાયના લોકો ફિલ્મને લઇને વાંધો ઉઠાવી રહ્યા છે. જેના કારણે ફિલ્મની રજૂઆતને ટાળી દેવામાં આવી છે. ફિલ્મમા ંરાની પદ્માવતિના રોલમાં દિપિકા કામ કરી રહી છે. જ્યારે રણવીર સિંહ અને શાહિદ કપુર ફિલ્મમાં કામ કરી રહ્યા છે. રણવીર ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીના રોલમાં કામ કરનાર છે. દિપિકા બોલિવુડમાં હાલમાં નંબર વન સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. દિપિકા પાસે હાલમાં બિલકુલ પણ સમય નથી. દિપિકા અને રણવીર વચ્ચેના સંબંધની પણ ચર્ચા રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ