ત્રિપુરામાં ડાબેરીઓ સામે ટક્કર લેવા માટે ભાજપે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પૂરી મદદ લેવા માટે તૈયારી કરી છે. મોદી ઉપરાંત યોગી ત્રિપુરામાં મોટા સ્ટાર પ્રચારક તરીકે ઉભરી રહ્યા છે. યોગીની લોકપ્રિયતા અને રાજયના રાજકીય સમીકરણને ધ્યાનમાં લઇને હવે ભાજપે જાન્યુઆરી મહિનામાં મોદીની રેલીઓ બાદ યોગીની સૌથી વધારે રેલી કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપના એક નેતાના કહેવા મુજબ ત્રિપુરામાં આશરે ૩૫ ટકા ંગાળી નાથ સપ્રદાયના છે. આ એજ સંપ્રદાય છે જે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી સ્વીકારી ચુક્યા છે. જેથી યોગીના નામને લઇને અહીંના લોકો ભારે ઉત્સાહિત છે. નાથ સંપ્રદાયને જ્યાં કેન્દ્રમાં ઓબીસી શ્રેણીમાં રાખવામાં આવે છે. જ્યારે ત્રિપુરામાં આ સામાન્ય શ્રેણીના હિસ્સા તરીકે છે. ભાજપને આશા છે કે યોગીના ત્રિપુરા આવવાથ તેના પર સારી અસર થશે. યોગીની છાપ એક હિન્દી નેતા તરીકે રહી છે. ત્રિપુરામાં રહેતા બંગાળી લોકો હકીકતમાં બંગાળી છે. તેઓ બાગ્લાદેશથીી આવેલા છે. ભાજપના લોકો માને છે કે યોગીના રાજ્યમાં પ્રચાર કરવાથી વોટરો પર સારી અસર થશે. તેમને પાર્ટીની તરફેણમાં લાવી શકાશે. યોગી આદિત્યનાથ દેશમાં પણ લોકપ્રિય થઇ રહ્યા છે. મોદી બાદ હવે ત્રિપુરામાં તેમની માંગ સૌથી વધારે જોવા મળી રહી છે.ઉત્તરપ્રદેશમાં ભારે અને અભૂતપૂર્વ જીત મેળવી લીધા બાદ હવે ત્રિપુરમાં તેમની માંગ જોવા મળી રહી છે.
પાછલી પોસ્ટ