Aapnu Gujarat
ગુજરાત

અયોધ્યા કેસની ત્વરિત સુનાવણી માટે કોંગી સંમત છે : શાહનો પ્રશ્ન

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપ મિડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે દેશની સર્વોચ્ચ અદાલમતાં રામ જન્મભૂમિ કેસની સુનાવણી ચાલુ થઇ ગઇ છે. સમગ્ર દેશની જનતાની એ ભાવના છે કે આ સુનાવણી જલ્દીથી થાય અને સર્વોચ્ચ અદાલતનો ફેંસલો રામજન્મભૂમિ માટે જલ્દીથી જલ્દી દેશ અને દુનિયાની સામે આવે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજે એક આશ્ચર્યજનક દલીલ કોંગ્રેસના નેતા અને સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે સર્વોચ્ચ અદાલત સામે કરેલ છે. સિબ્બલે કહ્યું હતું કે, જુલાઈ ૨૦૧૯ એટલે કે આગામી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી જ્યાં સુધી ન થઇ જાય ત્યાં સુધી આ કેસની સુનાવણી ટાળવી જોઇએ. જ્યારે કોંગ્રેસ કોઈ જુદી વાત પર જુદા પ્રકારનું સ્ટેન્ડ લેવા માંગે ત્યારે કપિલ સિબ્બલને આગળ કરી દે છે. ૨જી ઘોટાળામાં જીરો લોસ થીયરી લઇને કપિલ સિબ્બલ આગળ આવ્યા, ગુજરાતમાં અનામતને લઇને ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય તેવો ઓપિનિયન લઇને કપિલ સિબ્બલ સામે આવ્યા અને હવે રામ જન્મભૂમિ કેસના રસ્તામા ંરોડા નાંખવા માટે પણ કપિલ સિબ્બલ કોંગ્રેસ પાર્ટી તરફથી અને સુન્ની વક્ફ બોર્ડના વકીલના રુપે સામે આવી ગયા છે.
શાહે આજે માંગણી કરી હતી કે, કોંગ્રેસ પાર્ટીએ રામ જન્મભૂમિ અંગે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઇએ કે કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિ કેસની સુનાવણી જલ્દીથી જલ્દી થાય એ સંદર્ભે સહમત છે કે, નહીં? શું કોંગ્રેસ પાર્ટી એવું ઇચ્છી રહી છે કે આ સુનાવણી ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી ન થાય? કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. શાહે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે બધા જ દસ્તાવેજોનું ભાષાંતર થઇ ચુક્યું છે. કેસની સુનાવણી ત્રણ જજની બેન્ચ કરશે કે પાંચ જજની બેંચ એ નિર્ણય પણ આજે સર્વોચ્ચ અદાલતે આપી દીધો છે કે, ત્રણ જજની બેંચ દ્વારા આ કેસની સુનાવણી થશે ત્યારે સુનાવણી રોકવાથી કોંગ્રેસ શું હાસલ કરવા માંગે છે. આ સુનાવણી વહેલી તકે થાય જેથી દેશની જનતાને રામ જન્મભૂમિ અંગે સુપ્રી મકોર્ટના નિર્ણયનો ખ્યાલ આવે. શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ માંગણી કરી રહી છે કે, કોંગ્રેસ પાર્ટી આ વિષય પર પોતાનું અધિકૃત સ્ટેન્ડ સ્પષ્ટ કરે. ગુજરાતમાં ચૂંટણીઓ ચાલી રહી છે. કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે તે રાહુલ ગાંધી કે જે મંદિરે મંદિરે જઇને ચૂંટણીલક્ષી આંટાફેરા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રામ જન્મભૂમિ કેસની સુનાવણી ટાળવા માટે કપિલ સિબ્બલનો ઉપયોગ થઇ રહ્યો છો અમારુ માનવું છે કે, કોંગ્રેસ પાર્ટી તેમની બેધારી નીતિને જનતા સામે સ્પષ્ટ કરે કે જેથી એ સ્પષ્ટ થઇ જાય કે કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિ કેસ જલ્દીથી ચાલે એ ઇચ્છે કે કે નહીં. શાહે મીડિયાના મિત્રોના માધ્યમથી કોંગ્રેસના જાહેર થનાર રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે, તે પોતે સામે આવીને આ મુદ્દે તેમની પાર્ટીનું સ્ટેન્ડ ક્લીયર કરે. ભાજપની માંગ છે કે, જલ્દીથી જલ્દી રામ જન્મભૂમિ કેસની સુનાવણી થવી જોઇએ અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વહેલી તકે આવવો જ જોઇએ અને ત્યાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. અમિત શાહે મંદિર મુદ્દે આક્રમક રજૂઆતો કરી હતી. અને કોેંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.

Related posts

લોકરક્ષક દળના ઉમેદવારો વતી PMOને પત્ર લખાયો

aapnugujarat

સાબરકાંઠા ના ઈડર ખાતે ધી ઈડર પ્રજાકીય વિધોત્તેજક સમિતિ દ્વારા જરૂરિયાત મંદોને રાશનકીટનુ વિતરણ કરવામા આવ્યુ

editor

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1