મધ્ય પ્રદેશના ખંડવામાં હાલમાં ઉજવાયેલ ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક લાગણીને દુભાવતાં પોસ્ટર લગાવ્યાં હતાં, જેના પગલે વિવાદ છેડાયો છે. પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને છ લોકોની ધરપકડ કરી છે.
આ પોસ્ટરમાં લખેલ વાક્ય ઘણું ભડકાઉ અને ઉશ્કેરણીજનક હતું તેમજ સમાજમાં નફરત ભડકાવે તેવું હતું.સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાઈરલ થઈ હતી અને ટિ્વટર-ફેસબુકમાં લોકો તેને શેર કરવા લાગ્યા હતા.
અહેવાલો અનુસાર એસ.પી. નવનીત ભસીને પત્રકારોને જણાવ્યું હતું કે શનિવારે ઈદે મિલાદના જુલૂસ દરમિયાન કેટલાક બદમાશોએ શહેરની કૃષ્ણા બેકરી સામે જલેબીચોક ખાતે વાંધાજનક પોસ્ટરો લગાવ્યાં હતાં.
આ પોસ્ટરોમાં લખ્યું હતું કે, ‘ચીર કે બહા દો લહૂ દુશ્મન કે સીને કા, યહી મજા હૈ મુસલમાન હોને કા’ આ પોસ્ટરની આગળની લાઈનો પણ વાંધાજનક છે. પોસ્ટરમાં વધુ લખ્યું હતું કે, ‘બુઝદીલ હમ નહીં, જો પીછે સે વાર કરતે હૈં, હમ તો વો મુસલમાન હૈ, જો શેર કો ભી જગા કર શિકાર કરતે હૈ. હમારે અજ્મોં કો હમારે ગદ્દાર જાન જાયેંગે, અગર ઈતિહાસ પઢ લેંગે તો પહેચાન જાયેંગે, યે હિન્દુસ્તાન મેરે ખ્વાજા કા થા ઔર રહેગા ગલતફહમી મેં મત રહના કી રામ રાજ્ય લાએંગે.’
આગળની પોસ્ટ