રાજયમા આગામી માસમા ૧૪ ડિસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે બીજા તબકકામા ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો આ સમયે અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી દ્વારા ફોર્મ ભરવામા આવ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કિન્નરે આપેલી પ્રતિક્રીયામા કહ્યુ કે,બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના ખિસ્સા ભરવા સિવાય કોઈ કામ કરતા નથી જેના કારણે તેમને ઉમેદવારી પત્ર ભરવાની ફરજ પડી છે.તેમણે કહ્યુ કે,હવે બાકીના દિવસોમા તેઓ પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર જઈ પોતાનો ચૂંટણી પ્રચાર કરશે.આ સાથે જ તેઓ એક જાહેરસભા કરવાનુ પણ વિચારી રહ્યા છે.આ અગાઉ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી ચુકયા છે.
આગળની પોસ્ટ