Aapnu Gujarat
ગુજરાત

બાપુનગરની સીટ ઉપરથી કિન્નરની અપક્ષ ઉમેદવારી

રાજયમા આગામી માસમા ૧૪ ડિસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે બીજા તબકકામા ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો આ સમયે અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી દ્વારા ફોર્મ ભરવામા આવ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ કિન્નરે આપેલી પ્રતિક્રીયામા કહ્યુ કે,બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના ખિસ્સા ભરવા સિવાય કોઈ કામ કરતા નથી જેના કારણે તેમને ઉમેદવારી પત્ર ભરવાની ફરજ પડી છે.તેમણે કહ્યુ કે,હવે બાકીના દિવસોમા તેઓ પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર જઈ પોતાનો ચૂંટણી પ્રચાર કરશે.આ સાથે જ તેઓ એક જાહેરસભા કરવાનુ પણ વિચારી રહ્યા છે.આ અગાઉ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી ચુકયા છે.

Related posts

ગુજરાતમાં ચાલુ વર્ષે 8000 જેટલા પોલીસકર્મીઓની ભરતી કરાશે

aapnugujarat

રાજ્યમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થઈ

aapnugujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી-જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કરવા ૪૦ સ્ટેજ પરથી કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1