Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા મૂડી માર્કેટમાં કુલ ૧૭,૨૦૯ કરોડ ઠલવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી દેશના મૂડી માર્કેટમાં ૨.૬ અબજ ડોલરની રકમ ઠાલવી દીધી છે. પીએસયુ બેંકોમાં જંગી નાણા ઠાલવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદથી વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૪મી નવેમ્બર દરમિયાન ઇક્વિટીમાં ૧૬૪૫૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે સમીક્ષા હેઠલના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૭૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા છે જેના પરિણામ સ્વરુપે ઇન્ફ્લોનો આંકડો ૧૭૨૦૯ કરોડ રૂપિયા અથવા તો ૨.૬૫ અજબ ડોલર રહ્યો છે. એકંદરે એફપીઆઈ દ્વારા આ વર્ષે ઇક્વિટીમાં ૫૩૮૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાં ૧.૪૬ લાખ કરોડ ઠાલવી દીધા છે. પીએસયુ બેંકોમાં જંગી નાણાં ઠાલવી દેવા માટેની સરકારે જાહેરાત કર્યા બાદ સ્થિતી ખુબ આશાસ્પદ દેખાઇ રહી છે. વૈશ્વિક સ્થિતીમાં પણ સુધારો થઇ રહ્યો છે. સ્થિર કરેન્સીની સ્થિતી પણ આના માટે જવાબદાર છે. છેલ્લા મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૯૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા તે પહેલા સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે છેલ્લા બે મહિનામાં (ઓગષ્ટ અને સપ્ટેમ્બર) સ્ટોક માર્કેટમાંથી ૨૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ હવે લેવાલી જોવા મળી છે. તે પહેલા એફપીઆઇ દ્વારા છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૩૦૫૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે સ્થિતીમાં હજુ સુધારો થઇ શકે છે.

Related posts

સેંસેક્સમાં ૫૮૦ પોઇન્ટનો ઉછાળો

aapnugujarat

मंदी से उबरा मैन्युफैक्चरिंग सेक्टर : निक्केई सर्वे में दावा

aapnugujarat

પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્‌સના આશરે ૮૪ થી વધારે રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1