બોલિવુડમાં હાલમાં કરીના કપુર અને સોનમ કપુર અભિનિત ફિલ્મ વીરે દી વેડિંગને લઇને ભારે ચર્ચા છે. હકીકતમાં હાલમાં જ સોનમ કપુરે ટ્વીટર પર માહિતી આપતા કહ્યુ હતુ કે આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યા બાદ હવે ફિલ્મને વહેલી તકે રજૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. ફિલ્મને ૧૮મી મે ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની તૈયારી હાલમાં કરવામાં આવી છે. હાલમાં એવી ચર્ચા હતી કે ફિલ્મના નિર્માતા પૈકી એક એકતા કપુર ટુંક સમયમાં જ ફિલ્મતી અલગ થનાર છે. અલબત્ત એકતા કપુર તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોનમ કપુરના પિતા અનિલ કપુરે પણ સોનમના નિવેદન બાદ નારાજ છે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે આ સમાચાર સાંભવ્યા બાદ અનિલ કપુરે હવે એકતા કપુરની સાથે વાત કરી છે. અનિલ કપુરે એકતાના પિતા જીતેન્દ્ર સાથે પણ વાત કરી છે. અનિલ કપુરે ઇચ્છા વ્યક્ત કરી છે કે એકતા કપુર ફિલ્મને અધવચ્ચે છોડી દે તેમ અનિલ કપુર ઇચ્છતા નથી. અનિલ કપુર હવે જીતેન્દ્રને મળીને એકતાને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છે. એકતા કપુર એકાએક અલગ કેમ થઇ રહી છે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. આને લઇને કોઇ નક્કર બાબત સપાટી પર આવી ગઇ છે. અનિલ કપુરની પુત્રી રિયા કપુર ફિલ્મની નિર્માત્રી તરીકે છે. આ ફિલ્મમાં સોનમ કપુર અને કરીના કપુરની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત સ્વરા ભાસ્કર અને શિખાની પણ મુખ્ય ભૂમિકા છે. એકતા કપુર ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મે ચર્ચા જગાવી છે.
પાછલી પોસ્ટ