Aapnu Gujarat
ગુજરાત

રવિવારે ગાંધીનગરમાં સમસ્ત રાજપૂત સમાજ પદ્માવતી સામે એકત્ર થશે

બૉલીવુડના ગુજરાતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’ રિલીઝ થાય એ પહેલાં જ આ ફિલ્મ સામે વિરોધ ઊઠ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અગામી ૧૨ નવેમ્બરે રવિવારે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય રાજપૂત સ્વાભિમાન સંમેલન યોજવામાં આવી રહ્યું છે અને સંજય લીલા ભણસાલીને ચીમકી ઉચ્ચારી છે કે આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ, નહીં તો ઉગ્ર વિરોધ થશે.શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ ગઈ કાલે અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘
રાજપૂતોના ઇતિહાસને કોઈ પણ ફિલ્મકાર મનોરંજનના નામ પર વિકૃત રીતે રજૂઆત ન કરી શકે. રણવીર સિંહનું સ્ટેટમેન્ટ હતું કે હું વિલનનો રોલ એટલા માટે કરું છું કે દીપિકા સાથે ઇન્ટિમેટ સીન છે. એ પસર્નલ લાઇફમાં બરાબર હશે, પણ અહીં માત્ર રાજપૂત સમાજ નહીં સમગ્ર સ્ત્રીજાતિનું અપમાન છે. અમે સેન્સર બોર્ડમાં આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ ફિલ્મ રિલીઝ ન કરવા રજૂઆત કરી છે. અમારી સંસ્થાના સભ્યો સંજય લીલા ભણસાલીને પણ મળ્યા હતા. અમારી એક જ વાત છે કે આ ફિલ્મ બંધ થવી જોઈએ. આ ફિલ્મના વિરોધમાં ગાંધીનગરમાં ૧૨ નવેમ્બરે બપોરે ૧૨ વાગ્યે રાજપૂતોની ૩૭ સંસ્થાઓ એક સ્ટેજ પર આવશે અને ભણસાલીને અવાજની ગુંજ સંભળાવશે અને મુંબઈમાં બેઠેલાઓના ૧૨ વગાડીશું.’

Related posts

તલાટીની ૧,૮૦૦ પોસ્ટ માટે ગુજરાતમાંથી ૩૮ લાખ અરજી મળી

aapnugujarat

વિરમગામ,માંડલ અને દેત્રોજ સહિત નળકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

aapnugujarat

ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રૂપાણીના આવાસે બેઠક થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1