છેલ્લા કેટલાક દિવસોથી સંજય લીલાની નવી ફિલ્મ પદ્માવતિને લઇને ચર્ચા છે. આ ફિલ્મમાં ટુંકી ભૂમિકા કરી રહેલી આશાસ્પદ સ્ટાર અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ કહ્યુ છે કે તેની ટુંકી ભૂમિકા હોવા છતાં તે તેની છાપ ચાહકોના દિલોમિમાંગ પર છોડશે તે ટુંકી ભૂમિકાને લઇને પણ આશાવાદી છે. ફિલ્મને લઇને રાહ જોઇ રહી છે. પોતાની છેલ્લી ફિલ્મ બાજીરાવ મસ્તાનીની રેકોર્ડ સફળતા બાદ હવે સંજય લીલા પદ્માવતી નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં ટાઇટલ રોલમાં દિપિકા નજરે પડાનાર છે. જ્યારે રણવીર સિંહની પત્ની તરીકે ફિલ્મમાં હવે અદિતી રાવ મુખ્ય ભૂમિકા અદા કરી રહી છે. સંજય લીલા ફરી એકવાર ઇતિહાસને ધ્યાનમા લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં રણવીરસિંહ અદા કરી રહ્યો છે. દિપિકા પદ્માવતીની ભૂમિકામાં છે. જ્યારે શાહિદ કપુર ચિત્તોડગઢના મહારાજા રાવલ રતનસિંહની ભૂમિકામાં છે. રામલીલા અને બાજીરાવ મસ્તાની બાદ સતત ત્રીજી ફિલ્મ બની રહી છે જેમાં રણવીર અને દિપિકાની જોડી ચમકી રહી છે. રણવીર અને શાહિદ કપુર વચ્ચે ખેંચતાણને લઇને પણ હેવાલ આવ્યા હતા. હવે નવા સમાચાર એ છે કે સંજય લીલાની ફિલ્મમાં અદિતી રાવ હૈદરી મુખ્ય ભૂમિકામાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા હતી કે અલાઉદ્દીનની પત્નીની ભૂમિકા ફિલ્મમાં કોણ અદા કરશે. હવે જાણવા મળ્યુ છે કે અદિતી અલાઉદ્દીનની સૌથી પ્યારી પત્ની કમલાદેવીની ભૂમિકા અદા કરનાર છે. આ રોલને લઇને સંજય લીલા અને અદિતી વચ્ચે કેટલાક રાઉન્ડની ચર્ચા થઇ હતી. સંજય લીલાની નજર ચાર અભિનેત્રી પર કેન્દ્રિત હતી. અંતમાં અદિતી રાવની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મના કલાકારો હવે ખુશ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ