ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે ભાજપકમર કસી રહ્યું છે. તે માટે લોકો સુધી પહોંચવા માટે વધું એક અભિયાન ભાજપ દ્વારા ચલાવવામાં આવશે. ભાજપ ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન હેઠળ જનસંપર્ક શરૂ કરશે. આ અભિયાનનો પ્રારંભ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
અમિત શાહ અમદાવાદમાંથી તો ભાજપ સરકારના બીજા મંત્રીઓ તથા કેન્દ્રીય મંત્રીઓ અન્ય જિલ્લાઓમાં ગુજરાત ગૌરવ સંપર્કયાત્રાની શરૂઆત કરશે તે રીતે તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ રીતે ભાજપ દ્વારા પ્રચાર અભિયાનને વધું તેજ બનાવાશે. સાથે સાથે પક્ષના ૪૫૦ કરતા પણ વધારે અનુભવી અને વરિષ્ઠ આગેવાનો આ કામમાં જોડાશે. તો સાથે સાથે વિકાસકાર્યોની એક યાદી પણ રજૂ કરવામાં આવશે. જેથી વિકાસનું મુદ્દો ફરીથી ગુજરાતમાં ઘરે ઘરે રજૂ કરી શકાય.
ઘરે ઘરે લોકોને મળવા માટે જવું ભાજપ માટે અનામત અને અન્ય આંદોલનના કારણે મુશ્કેલ બન્યું છે. ત્યારે આ સમસ્યાનો હલ નિકાળવા અને વધુ જનસંપર્ક વધારવા માટે હવે ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ ‘ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન’ હેઠળ જનસંપર્ક શરૂ કરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આગામી સમયમાં અમદાવાદ આવશે ત્યારે ૧૨ નવેમ્બરથી આ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવશે.