Aapnu Gujarat
ગુજરાત

પાકને થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ દિયોદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

દિયોદર તાલુકાના સરપંચોએ મિટિંગનું આયોજન કરી તાલુકામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને કપાસ, મગફળી, કઠોળ, બાજરી, ઘાસચારો જેવા પાકોને થયેલ ભારે નુકસાન અંગે થોડા સમય પહેલા મિટિંગનું આયોજન કરાયું હતું. ગઈકાલે દિયોદર તાલુકાના સરપંચો અને ખેડૂતો દિયોદર નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ જણાવેલ કે પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે, ખેડૂતો પાયમાલ થઈ છે જેથી તેમને અન્યાય ન થાય અને પાક વીમો મળી રહે અને નુકસાનનો તાત્કાલીક સર્વે કરાવી દેવા માફ કરવામાં આવે અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

વડાપ્રધાન મોદીની આજથી ગુજરાત યાત્રા શરૂ થશે

aapnugujarat

કોરોના રસી આપવામાં લોલંલોલ!!

editor

Leave a Comment

UA-96247877-1