Aapnu Gujarat
ગુજરાત

વટવામાં ભાઈબીજનાં દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડો : પત્નીએ આપઘાત કર્યો

શહેરના વટવા વિસ્તારમાં ભાઇબીજના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો. પત્નીએ આવેશમાં આવી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી, જયારે અન્ય એક બનાવમાં શહેરના શાહીબાગ વિસ્તારમાં મુસાસુહા કબ્રસ્તાન નજીક એક એકટીવાચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી ધોરણ-૧૦ના એક વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારતાં તેનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નીપજયું હતુ. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તારમાં બચુભાઇના કૂવા પાસે હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા ગિરીજાબહેન અને તેમના પતિ પુષ્પેન્દ્ર ચોધરી વચ્ચે ભાઇબીજના દિવસે તેમની બહેનના ઘેર જવાના મામલે આપસમાં તકરાર સર્જાઇ હતી. વાત વણસતાં ઝઘડો ઉગ્રતામાં પરિણમ્યો હતો અને છેવટે કંટાળીને પુષ્પેન્દ્રભાઇ ઘરમાંથી બહાર જતા રહ્યા હતા. બીજીબાજુ, પત્ની ગિરિજાબહેને આવેશમાં આવી જઇ પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. વટવા પોલીસે બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

થરા સહિત આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુનો ભરડો

aapnugujarat

पाटीदार युवक से मारपीट के आरोप में कृष्णनगर पुलिस स्टेशन के पीएसआई अंसारी सस्पेन्ड

aapnugujarat

નર્મદા જળસંકટ : ગુજરાત સરકારે કેન્દ્ર પાસે માંગી મદદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1