સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આજે પાકિસ્તાન ઉપર વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન હવે ત્રાસવાદી રાષ્ટ્ર તરીકે બની ગયું છે. પાકિસ્તાન તેની ત્રાસવાદીઓને પ્રાયોજિત કરવાની નીતિ સાથે આગળ વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આક્રમક રજૂઆત ભારત તરફથી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, વૈશ્વિક આતંકવાનેદ ફેલાવવામાં પાકિસ્તાનની ભૂમિકા સતત વધી રહી છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને જન્મ આપનાર એક ઇન્ડસ્ટ્રી તરીકે બની ગઇ છે. ભારતે પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, વિશ્વને ગેરમાર્ગે દોરવાનું કામ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી ઇનામ ગંભીરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, હકકીતમાં પાકિસ્તાનને આતંકવાદની જમીન બનાવી દેવામાં આવી છે. ટૂંકા ઇતિહાસમાં પાકિસ્તાન ત્રાસવાદી કેન્દ્ર બની ગયું છે. ફાઝીઝ સઇદનો દાખલો આપતા ભારતે તમામ મુદ્દાઓ ઉપર રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, હાફીઝ સઇદ પાકિસ્તાનમાં આગામી ચૂંટણી લડવા રાજકીય પાર્ટીની રચના કરી ચુક્યો છે. પડોશી દેશમાં ત્રાસવાદીઓ શરણ લઇ રહ્યા છે. સાથે સાથે પોલિટીકલ કેરિયર સાથે પણ આગળ વધી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ