Aapnu Gujarat
રમતગમત

ટીમ ઇન્ડિયાને ઝટકો, ધવન ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડેમાંથી બહાર

ભારતીય ટીમના આક્રમક ઓપનર બેટસમેન શિખર ધવન ઓસ્ટ્રેલિયા સિરીઝની પહેલી ત્રણ વનડેમાંથી બહાર થતાં ટીમને ઝટકો લાગ્યો છે. જો કે, શિખર ધવનના સ્થાને ટીમમાં કોઇ અન્ય ખેલાડીનો સમાવેશ કરાયો હતો.શિખર ધવને તેની પત્ની આયેશા બીમાર હોવાના કારણે બીસીસીઆઇને ખુદને ટીમથી દૂર કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ધવનનો અનુરોધ માન્યો છે. જો કે, બીસીસીઆઇએ શિખર ધવનની જગ્યાએ કોઇ અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી નથી. ઓસ્ટ્રેલિયા સામે પાંચ વનડે મેચની સિરીઝની પ્રથમ વન ડે મેચ ૧૭ સપ્ટેમ્બરે રમાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા શિખર ધવને શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારત તરફથી સૌથી વધુ ૩૫૮ રન બનાવ્યા હતા. જ્યારે પ્રથમ વન ડેમાં તેણે ૧૩૨ રન બનાવ્યા હતા. જોકે, બીમાર માતાની દેખભાળ કરવા માટે ધવન શ્રીલંકાથી પરત ભારત આવ્યો હતો. જેના કારણે તે એકમાત્ર ટ્‌વેન્ટી-૨૦ મેચમાં શ્રીલંકા સામે રમ્યો ન હતો.

Related posts

સિંધૂ જાપાનની નોઝોમીને હરાવીને સૌપ્રથમ વાર વર્લ્ડ ટુર ચેમ્પિયન બની

aapnugujarat

Jofra Archer is fastest bowler I have faced in World Cup: Moeen Ali

aapnugujarat

બીજી ટ્‌વેન્ટી : ઇંગ્લેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાનો રોચક વિજય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1