અમદાવાદની મુલાકાતે આવી રહેલા જાપાનના વડાપ્રધાન શીનજો અબે સહિતના ડેલિગેટસને આવકારવા રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે જેને લઈને એએમટીએસના ૩૦ જેટલા રૂટો ઉપર અસર જોવા મળશે આ સાથે જ બીઆરટીએસના કેટલાક રૂટો પણ બંધ કરવામા આવશે જ્યારે અન્ય રૂટોને ડાયવર્ટ કરવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમા આવતીકાલે બપોરે બંને મહાનુભવો આવી જશે બાદમા એરપોર્ટથી આરટીઓ સર્કલ સુધી ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે. આ રોડ શોના આયોજનને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના વિવિધ માર્ગો ઉપર દોડાવવામા આવતી ૧૩૦ જેટલી બસોના રૂટને અસર થવા પામશે. બે દિવસ માટે ૩૦ રૂટને ડાયવર્ટ કરવામા આવ્યા છે.દરમિયાન જનમાર્ગના જનરલ મેનેજર દિપક ત્રિવેદીએ એક વાતચીતમાં ૧૩ સપ્ટેમ્બરના બપોરના ત્રણ કલાકથી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઝુંડાલથી કોમર્સ ક્રોસ રોડ, આરટીઓથી મણિનગર, આરટીઓથી હાટકેશ્વર, આરટીઓથી સર્કયુલર, આરટીઓથી એન્ટિ સર્કયુલર તેમજ એરપોર્ટથી કર્ણાવતી કલબ સુધીના રૂટ બંધ રાખવામા આવશે તેમ કહ્યુ છે. આ સાથે જ ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે નવથી ૧૧.૩૦ સુધી ઝુંડાલથી કોમર્સ ક્રોસ રોડ, આરટીઓથી મણિનગર, આરટીઓથી હાટકેશ્વર, આરટીઓથી સર્કયુલર, આરટીઓથી એન્ટિ સર્કયુલર અને એરપોર્ટથી કર્ણાવતી કલબ સુધીના રૂટ બંધ રાખવામા આવશે તેમ કહ્યુ છે.૧૩ સપ્ટેમ્બરના રોજ ઈન્દિરાબ્રિજ, એરપોર્ટ સર્કલ, સુભાષબ્રિજ અને ચીમનભાઈ બ્રિજ પર આવતા ૩૦ જેટલા રૂટને રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ડાઈવર્ટ કરવામા આવશે.૧૪ સપ્ટેમબરના રોજ સાબરમતી, સુભાષબ્રિજ અને ચીમનભાઈબ્રિજ, ૧૩૨ ફૂટ રિંગરોડ, વસ્ત્રાપુર, અખબારનગર, વાડજના કેટલાક રૂટ સવારના ૮થી ૧૧.૩૦ સુધી ડાયવર્ટ કરવામા આવ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ