વડોદરા જિલ્લામાં મા નર્મદા મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર-૧૭ના રોજ જિલ્લાના ૧૨૭ ગામોમાં નર્મદા રથયાત્રા પરિભ્રમણ કરશે. નર્મદા રથયાત્રા તા.૧૨મીના રોજ કરજણ તાલુકાના પાંચ, ડભોઇના ૧૩, વાઘોડિયાના ૦૯, સાવલીના ૧૩ સહિત ૪૦ ગામોમાં પરિભ્રમણ કરશે. આગામી તા.૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર-૧૭ના રોજ નર્મદા રથયાત્રા શિનોર તાલુકાના ૩૨, ડભોઇના ૩૬, પાદરાના ૩૪, સાવલીના ૦૭ અને ડેસર તાલુકાના ૩૧ ગામોમાં પરિભ્રમણ કરશે. વડોદરા જિલ્લામાં નર્મદા રથયાત્રાને ગ્રામજનોનો વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે. નર્મદા રથયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે મા નર્મદાનું પૂજન અર્ચન અને નર્મદા મૈયાના વધામણા કરવામાં આવી રહ્યા છે.
આગળની પોસ્ટ