Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખખાન અને કંગનાની જોડી પ્રથમ વખત જ ચમકશે

શાહરૂખ ખાન અને કંગનાને લઇને ફિલ્મ બનાવવાની યોજના સંજય લીલા દ્વારા તૈયાર કરવામાં આવી છે. સંજય લીલા પ્રથમ વખત આ જોડીને એક સાથે ચમકાવવા જઇ રહ્યા છે. શાહરૂખ ખાને કહ્યુ છે કે કંગના જો ફિલ્મમાં રહેશે તો વધારે સારી બાબત રહેશે. કંગનાની એક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત છે. તે બોલિવુડમાં મોટી સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. શાહરૂખ ખાન અને સંજય લીલા ૧૫ વર્ષ અગાઉ ફિલ્મ દેવદાસમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ ઓસ્કારમાં સ્થાન મેળવી ગઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાને યાદગાર ભૂમિકા અદા કરી હતી. હવે શાહરૂખખાનને લઇને સંજય લીલા ફરી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ સંબંધમાં કિંગ શાહરૂખ ખાને માહિતી આપતા કહ્યુ છે કે સંજય લીલા દ્વારા તેને બે પટકથા આપવામાં આવી છે. જે પૈકી કઇ પટકથા પર ફિલ્મ બનાવવામાં આવનાર છે તે બાબત હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. શાહરૂખે કહ્યુ છે કે તે સંજય લીલાની સાથે ચોક્કસપણે કામ કરવા માટે ઇચ્છુક છે. છેલ્લા મહિનામાં કેટલાક પ્રોજેક્ટ પર વાત થઇ છે. પરંતુ ડેટને લઇને સમસ્યા અકબંધ રહી છે. છતાં નવા પ્રોજેક્ટ પર ટુક સમયમાં કામ શરૂ કરવામાં આવનાર છે. કાસ્ટિંગને લઇને હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. કંગનાને ફિલ્મમાં લેવામાં આવશે તો બાબત શાનદાર રહેશે. ફિલ્મને લઇને તૈયારી શરૂ કરવામાં આવી છે. સંજય લીલા હાલમાં ફિલ્મ પદ્માવતિને લઇને વ્યસ્ત છે. જેમાં શાહિદ કપુર, રણવીર સિંહ અને દિપિકાની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ ઐતિહાસિક પટકથા પર આધારિત છે. ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. આગામી દિવસોમાં કંગના અંગે માહિતી જાહેર કરાશે.

Related posts

ફરહાન અખ્તર દોડવીર બાદ બૉક્સર બનશે

aapnugujarat

સની લિયોની પિંક કલરના ઈન્ડિયન ડ્રેસમાં ગ્લેમરસ લાગી

aapnugujarat

मैं आजकल बेरोजगार हूं : शाहिद कपूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1