મહારાષ્ટ્રમાંથી એક રૂવાંડા ઉભાં કરી નાંખે એવો મામલો પ્રકાશમાં આવ્યો છે. ૨૭ વર્ષનો એક યુવક જેનું નામ સુનિલ છે તેણે પોતાની સગી માતાની હત્યા કરી તેનું હૃદય કાઢી ચટણી સાથે ખાઈ ગયો. આ ઘટના સોમવાર (૨૮ ઓગસ્ટ)એ બની હોવાનું કહેવાય છે. સુનીલ એટલો નશામાં હતો કે તે શું કરી રહ્યો છે એની તેને ખબર જ નહોતી. પોલીસે તેને પકડી લીધો ન, તે પુણેના તારારાની ચોક પાસે રહે છે. તેના પર ખૂનનો કેસ દાખલ થઈ ગયો છે.
સુનિલ પર આરોપ છે કે સોમવારે તેણે બહુ દારૂ પી લીધો હતો અને તેણે પાડોશીના ઘરે જઈ ખાવાનું માગ્યું હતું, ત્યાં તેને કંઈ ન મળ્યું તો તે ઘરે આવી ખાવાનું શોધવા લાગ્યો, તેની માતા યેવલા (૬૫ વર્ષ)એ સમયે ઘરે હતી, તેની સાથે તે ઝઘડો કરવા લાગ્યો. ઝઘડો એટલો વધી ગયો કે દીકરાએ જ પોતાની માતાની હત્યા કરી તેનું હૃદય કાઢી ખાઈ ગયો.
પોલીસનું કહેવું છે કે સુનિલે ચાકુથી માતાની હત્યા કરી હતી અને પછી તેનું હૃદય કાઢી ચટણી અને મરચું લગાડી પ્લેટમાં રાખ્યું. પોલીસને લાગે છે કે હૃદયનો કેટલોક ભાગ તે ખાઈ ગયો હતો.
હાલમાં સુનિલ પોલીસના કબજામાં છે અને આગળની તપાસ ચાલી રહી છે. સુનીલ મજૂરી કરે ન, તેનાં લગ્ન થઈ ચૂક્યાં છે, તેને ત્રણ બાળકો છે, તેની પત્ની પિયરમાં મુંબઈ રહે છે.
પોલીસનું કહેવું છે કે એ દિવસે તે માતાની હત્યા કરી એક કલાક પછી ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે તેના બંને હાથ લોહીથી લથબથ હતા.