તા.૨૬ ઓગસ્ટ શનિવારનાં રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે અનુસુચિત જાતિ મોરચાની બેઠક મોરચાનાં પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાનાં સાંનિધ્યમાં મળી હતી. આ મિટિંગમાં મોરચાનાં પ્રમુખ અંબાલાલ રોહિત, પ્રદેશનાં મંત્રી જીવરાજ ચૌહાણ, અમદાવાદ પશ્ચિમનાં સંસદ સભ્ય ડૉ. કિરીટ સોલંકી, રાજ્યસભાનાં સાંસદ શંભુનાથજી, પૂર્વ સાંસદ રતિલાલ વર્મા, પૂર્વ મંત્રી અને હાલમાં ભાજપમાં જોડાયેલ ઈશ્વરભાઈ મકવાણા તથા નિગમોનાં ચેરમેન તથા રાજ્યનાં દરેક જિલ્લામાંથી અનુસુચિત જાતિનાં વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મિટિંગમાં આગામી ચૂંટણીમાં વિજય મેળવવા માટે ઉપસ્થિત આગેવાનો પાસેથી જુદા જુદા સૂચનો માંગવામાં આવ્યાં હતાં અને ચૂંટણીના આડે ગણતરીનાં મહિના હોવાનાં કારણે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને બુથ લેવલથી માંડીને જિલ્લા સુધીનાં કાર્યકર્તાઓ સક્રિય થાય તે માટે આગેવાનોને કમર કસવા જણાવવામાં આવ્યું હતું.