Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રીને બનાસકાંઠા-પાટણના પૂરપીડિતોના પુનર્વસન માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં L&T દ્વારા રૂ.૧૦ કરોડનું દાન અર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ L&T ના પૂર્ણ સમયના ડાયરેકટર શ્રી શૈલેન્દ્ર રોયે ગાંધીનગરમાં મળીને મુખ્યમંત્રી રાહતનિધિ માટે રૂ.૧૦ કરોડ પ૮ લાખ ૮૭ હજારની રકમનો ચેક અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં બનાસકાંઠા-પાટણમાં અતિવૃષ્ટિને પરિણામે જે ભારે પૂર અને વરસાદી કહેર સર્જાયો તેના અસરગ્રસ્તોને ઝડપભેર પૂર્વવત કરવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો-દાન આપી સહયોગ કરવા કરેલી અપીલનો પ્રતિસાદ આપતાં એલ એન્ડ ટી એ આ રાહત સહાયનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ લાર્સન ટુબ્રોની આ સમાજ દાયિત્વ ભાવના અને આપત્તિ પીડિતો પ્રત્યેની સંવેદનાની સરાહના કરી હતી. આ ઉપરાંત ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ પણ સ્વૈચ્છિક એકત્ર કરેલો રૂ.૯ લાખ ૬૭ હજારનો ફાળો પૂરપીડિતોના પુનર્વસન માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં આપ્યો છે.

Related posts

वाडज में अज्ञात शख्सों द्वारा युवक की हत्या का प्रयास

aapnugujarat

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

अहमदाबाद हेरिटेज : दो गैर गुजराती की मेहनत रंग लाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1