સુરત જીલ્લામાં ગણેશ ઉત્સવ, બકરી ઈદ, નવરાત્રી તથા દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લક્ષમાં લેતા જાહેર શાતિ અને સલામતી જળવાય રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી. વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. જે અનુસાર ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.૧૩/૦૮/૨૦૧૭ થી તા.૧૬/૧૦/૨૦૧૭ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી,અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરધોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.