દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, દારૂ નીતિના મામલાને લગતા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા, આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટમાં હાજરી આપવા જતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન જે પણ કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી આજે એટલે કે 1 એપ્રિલના રોજ સમાપ્ત થઈ. આ પછી કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ આજે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ માગ્યા ન હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જણાવ્યું હતું.
15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં કેજરીવાલ
ઈડીએ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. જેના પર કોર્ટે મંજૂરી આપી દીધી છે. ત્યારે કેજરીવાલને 15 દિવસ જેલમાં વિતાવવા પડશે. મળતી માહિતી મુજબ કેજરિવાલને આ દરમિયાન તિહાડ જેલ મોકલવામાં આવશે.
કેજરીવાલે તિહાડ જેલમાં લઈ જવા માટે 3 પુસ્તની માંગ કરી છે જેમાં રામાયણ અને ભગવત ગીતા છે આ સાથે બીજી એક પુસ્તક પણ જેલમાં વાંચવા માટે માંગી છે.
તિહાર જેલમાં મોકલવામાં આવી શકે છે
આ પહેલા ગુરુવારે એટલે કે 28 માર્ચે કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા. તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટમાં હાજર છે. આજે કેજરીવાલને તિહાર જેલમાં મોકલી શકાય છે. અહેવાલ છે કે તિહાર જેલમાં છેલ્લા બે દિવસથી ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આજે પણ જેલમાં મહત્વની મીટીંગ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કેજરીવાલ પર ચર્ચા થશે. જો મીટિંગ દરમિયાન અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં આવે છે, તો તેમને કયા જેલ નંબરમાં રાખવામાં આવશે? તેમની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ સાથે તમામ તૈયારીઓ પર ચર્ચા થશે. કહેવામાં આવી રહ્યું છે કે જેલ નંબર 5ને સેનિટાઈઝ કરવામાં આવી છે.
ધરપકડ 21 માર્ચે થઈ હતી
EDએ 21 માર્ચે કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે છેલ્લી સુનાવણીમાં કેજરીવાલની સાત દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે તેમને 1 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો હતો. જે બાદ તેને આજે હાજર કરવામાં આવશે. હવે કોર્ટ પોતાનો ચુકાદો આપશે કે કોરજરીવાલના રિમાન્ડ ફરીથી લંબાવવામાં આવશે કે પછી તેને જેલમાં મોકલવામાં આવશે.