લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ ૨૦૨૩ પર ચર્ચા થઈ રહી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવનો વિપક્ષનો એજેન્ડા મણિપુર છે. ત્યારે અત્યાર સુધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ અને પ્રધાનમંત્રીએ અનેક પ્રહાર કર્યા છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ નરેન્દ્ર મોદી પર અનેક પ્રહારો કર્યા છે ત્યારે આ અંગેનો જવાબ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસદ પહોંચ્યા હતા અને વિપક્ષને આડે હાથે લીધું હતું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષી દળો પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. તેમણે કહ્યું કે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો અમારા માટે શુભ છે. વિપક્ષો ૨૦૧૮માં પણ આ પ્રસ્તાવ લાવ્યા હતા, ત્યારબાદ ૨૦૧૯માં એનડીએ અને ભાજપે મોટી જીત નોંધાવી હતી. હવે ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે, ૨૦૨૪માં એનડીએ અને ભાજપ વધુ ભવ્ય જીત સાથે સત્તામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ’હું તેને ભગવાનનો આશીર્વાદ માનું છું કે ભગવાને સૂચવ્યું અને વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો. ૨૦૧૮માં પણ વિપક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. તે દિવસે પણ મેં કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, પરંતુ તેની પોતાની કસોટી છે. એવું જ થયું. તે વિપક્ષના જેટલા મત એકઠા કરી શક્યા ન હતા. અને જ્યારે અમે જનતામાં ગયા ત્યારે જનતાએ પણ તેમનામાં અવિશ્વાસ જાહેર કર્યો હતો. ચૂંટણીમાં એનડીએને પણ વધુ બેઠકો મળી અને ભાજપને પણ. એક રીતે વિપક્ષનો પ્રસ્તાવ અમારા માટે શુભ છે. તમે નક્કી કર્યું છે કે એનડીએઅને ભાજપ ૨૦૨૪માં તમામ જૂના રેકોર્ડ તોડીને ભવ્ય જીત સાથે સત્તામાં પાછા આવશે.
વિપક્ષ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમના માટે દેશ કરતા પણ મોટી પાર્ટી છે. તેમને ગરીબોની ભૂખની ચિંતા નથી, પરંતુ તેમની સત્તાની ભૂખની ચિંતા છે. તમને દેશના યુવાનોના ભવિષ્યની ચિંતા નથી, પરંતુ તમારા રાજકીય ભવિષ્યની ચિંતા છે.
પાછલી પોસ્ટ