અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ લઈ જવા પર પ્રતિબંદથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રસાદ મુદ્દે મંદિરના ટ્રસ્ટ્રી સુધીર નાણાવટીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કેમ્પ હનુમાન મંદિર આવેલ છે. કેન્ટોનમેન્ટ વિસ્તારમા આર્મીના નિયમો લાગુ થાય છે. આર્મી અમને જે નિયમ કહે તેનું અમારે પાલન કરવાનું હોય છે. સુરક્ષાના કારણોસર કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે. કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘી ના મગસનો પ્રસાદ અપાતો હતો. ત્યારે મંગળવાર અને શનિવાર સિવાયનાં દિવસોમાં પ્રસાદની માંગ રહેતી હતી. કોરોનાં વખતે લાડુનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પણ વિવાદ થયો હતો. તો પણ ટ્રસ્ટ્રીઓ દ્વારા પ્રસાદ શરૂ કર્યો ન હતો. તેમજ બહારથી આવતા પ્રસાદ પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ટ્રસ્ટ્રીઓ અને પૂજારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનાં કારણે અચાનક પ્રસાદ બંધ કરી દેવાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
પાછલી પોસ્ટ