દલિતો પર થતાં અત્યાચાર મામલે પૂર્વ સાંસદ રતિલાલ વર્મા તરફથી ચિંતન બેઠકનું આયોજન
વર્તમાન સમયમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દલિત સમાજ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે, ક્યાંક અપમાનિત થઈ રહ્યાં છે, ક્યાંક મારઝૂડ થઈ રહી છે, ક્યાંક બળાત્કાર થઈ રહ્યાં છે, આ બધાં માટે આપણે શું કરવું જોઈએ ? અને કેવી રીતે આવી ઘટનાઓને રોકી શકાય તેવા હેતુથી પૂર્વ સાંસદ રતિલાલ વર્મા તરફથી ૧ જુલાઈ ૨૦૧૮નાં રોજ શાહીબાગ એનેક્ષી ખાતે બપોરે ૩ કલાકે સર્વપક્ષીય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં સમાજનાં આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને પોતાનો અભિપ્રાય આપશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ