Aapnu Gujarat
રાષ્ટ્રીય

આર્યન ખાનની ડ્ર્રગ્સ કેસમાં ધરપકડ કરનારા સમીર વાનખેડે સામે CBI નોંધી ભષ્ટ્રાચારની ફરિયાદ

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ના પૂર્વ ઝોનલ નિર્દેશક સમીર વાનખેડે સામે ભષ્ટ્રાચારની ફરિયાદ દાખલ કરી છે.સમીર વાનખેડેએ ઓક્ટોબર 2021માં મુંબઈના કોર્ડલિયા ક્રૂઝ જહાજ પરથી વિવાદાસ્પદ ડ્રગ્સ રેડનું નેતૃત્વ કર્યુ હતુ અને અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત લોકોની ધરપકડ કરી હતી. સમીર વાનખેડે પર આરોપ હતો કે, તેણે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયા માંગ્યા હતા અને સમીર વાનખેડ અને NCBના 4 અધિકારીઓએ 25 કરોડમાંથી 25 લાખ રૂપિયા લાંચ પેટે ઉઘરાવી લીધા હતા. CBIએ ચાર શહેર દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચીમાં વાનખેડેના પરિસરમાં અને 28 અન્ય સ્થળ પર તપાસ કરી હતી અન્ય અન્ય બે સેવક અને બે નિઝી વ્યક્તિઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

ભષ્ટ્રાચારના મામલામાં NCBએ વાનખેડેઅને અન્યની તપાસ માટે CBIને પત્ર લખ્યો હતો. વનાખેડેને SITની તપાસમાં વિસંગત્તા અને આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લિન ચીટ મળતા NCBની બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. વર્તમાનમાં વાનખેડે ચેન્નાઈમાં કરદાતાઓની સેવાના મહાનિદ્રેશક (DGTS)ના કાર્યાલયમાં તૈનાત છે.
છેલ્લા અઠવાડિયામાં, NCBના એક પોલીસ અધિક્ષક રેન્કના અધિકારી વિશ્વ વિજયસિંહને એજન્સીની સેવામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. વાનખેડે ભારતીય રાજસ્વ સેવા(IRS)ના અધિકારી છે. તેમના નેતૃત્વમાં વર્ષ 2021માં NCBએ એક જહાજમાં 13 ગ્રામ કોકીન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ મારિઝુઆના, એમડીએમએની 22 ગોળી અને 1.33 લાખ રોકડા જપ્ત કર્યાનો દાવો કર્યો હતો અને 14 લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુમ ધામેચાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એજન્સીએ કુલ 17 લોકોની ધરપકડ કરી હતી.

વોટ્સએપ ચેટના આધારે વાનખેડેની ટીમે દાવો કર્યો હતો કે, આરોપી એક મોટી સાજિશનો હિસ્સો છે અને આરોપ લગાવવામાં આવ્યા હતા કે, આર્યનખાન કેટલાક વિદેશી ડ્રગ્સ સ્પલાયરના સંપર્કમાં છે અને ચેટમાં હાર્ડ ડ્રગ્સ જેવા કોર્ડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, NCBના દાવાને ખારિજ કરતા, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિન બલ્ય સાંબરે જણાવ્યુ હતુ કે, આ કેસમાં પુરવા પુરાવા આપવામાં આવ્યા નથી.

Related posts

भारत ने पाकिस्तान को कहा उसके नागरिक सुरक्षित लौटाए

aapnugujarat

Israel can be help increase availability of water in Bundelkhand : Adityanath

aapnugujarat

વડાપ્રધાન મોદીએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે, તેમને સારવારની જરૂર : ભુપેશ બેધેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1