કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ના પૂર્વ ઝોનલ નિર્દેશક સમીર વાનખેડે સામે ભષ્ટ્રાચારની ફરિયાદ દાખલ કરી છે.સમીર વાનખેડેએ ઓક્ટોબર 2021માં મુંબઈના કોર્ડલિયા ક્રૂઝ જહાજ પરથી વિવાદાસ્પદ ડ્રગ્સ રેડનું નેતૃત્વ કર્યુ હતુ અને અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત લોકોની ધરપકડ કરી હતી. સમીર વાનખેડે પર આરોપ હતો કે, તેણે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયા માંગ્યા હતા અને સમીર વાનખેડ અને NCBના 4 અધિકારીઓએ 25 કરોડમાંથી 25 લાખ રૂપિયા લાંચ પેટે ઉઘરાવી લીધા હતા. CBIએ ચાર શહેર દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચીમાં વાનખેડેના પરિસરમાં અને 28 અન્ય સ્થળ પર તપાસ કરી હતી અન્ય અન્ય બે સેવક અને બે નિઝી વ્યક્તિઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા.
વોટ્સએપ ચેટના આધારે વાનખેડેની ટીમે દાવો કર્યો હતો કે, આરોપી એક મોટી સાજિશનો હિસ્સો છે અને આરોપ લગાવવામાં આવ્યા હતા કે, આર્યનખાન કેટલાક વિદેશી ડ્રગ્સ સ્પલાયરના સંપર્કમાં છે અને ચેટમાં હાર્ડ ડ્રગ્સ જેવા કોર્ડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, NCBના દાવાને ખારિજ કરતા, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિન બલ્ય સાંબરે જણાવ્યુ હતુ કે, આ કેસમાં પુરવા પુરાવા આપવામાં આવ્યા નથી.