Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેકાબૂ મોંઘવારી મુદ્દે મોદી સરકાર સૌથી ખરાબ સરકાર : RAHUL GANDHI

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને ફરી એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ બેકાબૂ મોંઘવારી અંગે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘મોદી સરકાર ઈતિહાસની સૌથી ખરાબ સરકાર છે’ રાહુલે દાવો કર્યો હતો કે, હાલની સરકાર વિપક્ષ અને જનતાને પૂછ્યા વગર મનમરજી મુજબ નિર્ણય કરી રહી છે. આ તાનાશાહીની પુસ્તકનું પ્રથમ પન્નુ છે.

રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં કહ્યુ કે, મોંઘવારી આજે ભારતની સૌથી જટલી સમસ્યામાંની એક છે. મોંઘવારી અંગે મોદી સરકાર સૌથી ખરાબ સરકાર છે. દવાઓની કિંમત આ વર્ષે ચુપ ચાપ 11 ટકા વધારી દેવામાં આવી. સ્વાસ્થ્ય સેવા અને શિક્ષાનો ખર્ચ આસમાન પર છે. આ તમામ ખર્ચા જરૂરી ખર્ચા છે, સામાન્ય લોકોના જીવનના અભિન્ન અંગ છે. સરકારે આ સેવાઓને નિ:શુલ્ક કરવી જોઈએ, પરંતુ સરકાર આને મોંઘી કરી રહી છે. જ્યારે બીજી તરફ બેરોજગારી, સુસ્ત અર્થવ્યવસ્થાને કારણે નોકરી કરનારા લોકોના પગારમાં વધારો થઈ રહ્યો નથી, અને મોંઘવારીનો માર તો બીજી તરફ વ્યાજદરોમાં વધારો થઈ રહ્યો છે. પૈસા ઉધાર લઈને ચુકવવા અને પોતાના પરિવારના ખર્ચ ચુકવવામાં સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, હું આ સરકારને ખિસ્સા કાતરુ સરકાર એમ નામ નથી કહેતો. તમારા ખિસ્સા કાપવામાં આવી રહ્યાં છે. પરંતુ મોંઘવારીની ચર્ચા ક્યાંય નથી, ન તો તમારી ગમતી ન્યૂઝ ચેનલ પર, ન તો કોઈ સરકારની ઘોષણામાં. ચર્ચા થઈ રહી છે તો માત્ર સાંપ્રદાયિક્તાની અને માત્ર ખોટી વાર્તા ઉભી કરવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, UPI ટ્રાન્સફર પર પણ સરચાર્જ લાગ્યો. જ્યારે તમને ડિજિટલી પૈસાની ચુકવણી કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા, ત્યારે તમે કદી વિચાર્યુ હતુ કે, પૈસાની લેણદેણમાં પણ ચાર્જ લાગશે. તમે મહેનત કરીને કમાવો, સરકારને ટેક્સ ચુકવો અને હવે પૈસાના લેણ દેણમાં પણ અલગથી પૈસા. રાહુલે કહ્યુ કે, ગાડી લેવી તમારી જરૂરિયાત હોય કે તમારુ સ્વપન, આ સરકારમાં તમારુ સ્વપન પૂર્ણ થઈ શકે તેમ નથી અને મુશ્કેલીઓ તો દિવસેને દિવસે વધી રહી છે.

હાલમાં જ કોર્ટની સજા બાદ પોતાની સંસદ સદસ્યતા ગુમાવનાર રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદ તો બંધ છે. સ્વાભાવિક છે કે, લોકતંત્રના મંદિરમાં પણ આ પ્રશ્નનો જવાબ નહીં હોય. મનસ્વી નિર્ણયો લઈને, વિપક્ષ અથવા જનતાની સલાહ લીધા વિના નિર્ણયો ફક્ત લાદવામાં આવે છે, મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, આ સરમુખત્યારશાહી પુસ્તકનું પ્રથમ પાનુ છે.

Related posts

રેલવે પણ હવે ગિવ ઇટ અપ કમ્પેન શરૂ કરવા માટે તૈયાર

aapnugujarat

भाजपा के पास मुख्यमंत्री पद का उम्मीदवार नहीं : तेजस्वी

editor

અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા સતત ચોથા દિને પણ ગોળીબાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1