Aapnu Gujarat
બિઝનેસ

Good News for Sahara investors : 9 મહિનામાં મળી જશે બધા રૂપિયા

સહારા ગ્રુપ (Sahara Group)ની કંપનીઓમાં ફસાયેલા રૂપિયાની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે આખરે એક સારા સમાચાર આવ્યા છે. સરકારે કહ્યું છે કે, તેમના રૂપિયા આગામી 9 મહિનાની અંદર પાછા આપી દેવાશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે બુધવારે કહ્યું કે, સહારા ગ્રુપની ચાર સહકારી કંપનીઓના 10 કરોડ રોકાણકારોને તેમના રૂપિયા નવ મહિનામાં પાછા આપી દેવાશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, 5 હજાર કરોડ રૂપિયાની રકમત સહારા-સેબી રિફંડ ખાતા (Sahara-SEBI Reund Account)માંથી સેન્ટ્રલ રજિસ્ટ્રારને ટ્રાન્સફર કરવામાં આવે. કોર્ટે કેન્દ્ર સરકારની એ અપીલનો સ્વીકાર કરી લીધો, જેમાં રોકાણકારોને ચૂકવવા માટે સહારા ગ્રુપ દ્વારા સેબીની પાસે જમા કરાવાયેલા 24,000 કરોડ રૂપિયામાંથી 5,000 કરોડ રૂપિયા સેન્ટ્રલ રજિસ્ટ્રારને ટ્રાન્સફર કરવાનો અનુરોધ કરાયો હતો.

કેન્દ્રએ એક જાહેર હિતની અરજીમાં કોર્ટમાં આવેદન આપ્યું હતું. જાહેર હિતની અરજી પિનાકી પાણિ મોહંતી નામની વ્યક્તિએ કરી હતી અને તેમાં જુદી-જુદી ચિટ ફંડ કંપનીઓ તથા સહારા ક્રેડિટ કંપનીઓમાં રોકાણ કરાનારાઓને આ રકમની ચૂકવણી કરવાનો નિર્દેશ આપવા અનુરોધ કરાયો હતો. જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે કહ્યું કે, સહારા ગ્રુપની સહકારી કંપનીઓ દ્વારા ઠગાયેલા રોકાણકારોમાં આ રકમ વહેંચી દેવી જોઈએ. તેમાં કહેવાયું કે, સમગ્ર પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના જજ આર સુભાષ રેડ્ડી નજર રાખશે. સહકારિતા મંત્રાલયે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપતા સહારા ગ્રુપની ચાર સહકારી કંપનીઓના 10 કરોડ રોકાણકારોને સહારા-સેબી રિફંડ ખાતામાંથી રૂપિયા પાછા આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જસ્ટિસ રેડ્ડી નવ મહિનામાં આ ચૂકવણીની પ્રક્રિયાને પૂરી કરશે.
કરોડો રોકામકાણોની જીવનભરની કાળી મજૂરીના રૂપિયા લાંબા સમયથી સહારા ગ્રુપની ચાર કો-ઓપરેટિવ સોસાટીઝમાં પડ્યા છે. પોતાના રૂપિયાને પાછા મેળવવા માટે તેમને ઠેર-ઠેર ભટકવું પડી રહ્યું છે. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે સહારા હાઉસિંગ (Sahara Housing) અને સહારા રિયલ એસ્ટેટ (Sahara Real Estate)ને 25,781 કરોડ રૂપિયા ડિપોઝિટ કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ કંપનીઓએ માર્ચ 2008 અને ઓક્ટોબર 2009માં કરોડો રોકાણકારો પાસેથી આ રૂપિયા એકઠા કર્યા હતા. આ બે કંપનીઓએ 15,569 કરોડ રૂપિયા જમા કરાવ્યા, જેના પર 9,410 કરોડ રૂપિયા વ્યાજ મળ્યું છે. એ રીતે સહારા-સેબી ફંડમાં કુલ 24,979 કરોડ રૂપિયા જમા હતા. કેટલાક લોકોને રિફંડ અપાયા પછી આ અકાઉન્ટમાં હજુ પણ 23,937 કરોડ રૂપિયા જમા છે.

મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન તરફથી હાજર રહેલા એડિશનલ સોલીસીટર જનરલ એશ્વર્ય ભાટીએ ગત સુનાવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, ચાર મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ્સ સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી, હમારા ઈન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીએ 9 કરોડથી વધુ રોકાણકારો પાસેથી 86,673 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને તેમાંથી 62,643 કરોડ રૂપિયા એમ્બી વેલીમાં રોક્યા હતા. દિલ્હી હાઈકોર્ટના સ્પેસિફિક ઓર્ડર છતાં સહારા ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીઝએ આ મામલે કોઈ સહકાર ન આપ્યો અને રોકાણકારોના રૂપિયા રિફંડ કરવાના અને દાવાના સમાધાનની પ્રક્રિયાને ફગાવી દીધી છે.

સહારા ગ્રુપની કંપનીઓમાં પરસ્પર સાંઠગાંઠ હતી. તેમણે રોકાણકારો પાસેથી મળેલા રૂપિયાનું લોન્ડ્રિંગ કર્યું અને તને એક એસેટમાં લગાવ્યા. સહારાની કંપનીઓ અને યોજનાઓમાં દેશભરમાં કરોડો લોકોએ રૂપિયા રોક્યા હતા. સહારાએ આઈપીઓ લાવવાની યોજના બનાવી હતી. સહારાએ જ્યારે સેબી સમક્ષ આઈપીઓ લાવવા માટે અરજી કરી, તો સેબીએ તેને DRHP એટલે કે કંપનીનો આખો બાયોડેટા માગ્યો હતો. જ્યારે સેબીએ તેની તપાસ કરી તો તેમાં ઘણી ગરબડ જોવા મળી હતી. તે પછી સહારા ઈન્ડિયા પર સેબીનો સકંજો કસાતો ગયો. સહારા પર આરોપ લાગ્યા કે તેણે પોતાના રોકાણકારોના રૂપિયાનો ખોટો ઉપયોગ કર્યો.

સેબીએ 24 નવેમ્બર, 2010એ સહારા ગ્રુપ પર કોઈપણ રીતે લોકો પાસેથી રૂપિયા એકઠા કરવા સામે પ્રતિબંધ લગાવી દીધો હતો. આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે રોકાણકારોને 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે રૂપિયા પાછા આપવા સહારા ગ્રુપને આદેશ આપ્યો. આ રકમ 2,029 કરોડ રૂપિયા હતી. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, સહારા ગ્રુપની કંપનીએ સેબીના કાયદાનું ઉલ્લંઘન કર્યું. કંપનીઓએ કહ્યું કે, એ લાખો ભારતીયો પાસેથી રૂપિયા મેળવ્યા, જે બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવી શકતા ન હતા. સહારા ગ્રુપની કંપનીઓ રોકાણકારોને ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી, તો કોર્ટે રોયને જેલમાં મોકલી દીધા. તે લગભગ બે વર્ષથી વધુ સમય સુધી જેલમાં કાપી ચૂક્યા છે. 6 મે, 2017થી તેઓ પેરોલ પર છે. પહેલી વખત તેમને માતાના અંતિમ સંસ્કાર માટે પેરોલ મળ્યા હતા, જે બાદમાં વધારી દેવાયા હતા.

સરકાર તરફથી સંસદમાં અપાયેલી જાણકારી મુજબ, સેબીને 81.70 કરોડ રૂપિયાની કુલ મૂળ રકમ માટે 53,642 ઓરિજનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસ બુક સાથે જોડાયેલી 19,644 અરજી મળી છે. સેબીએ તેમાંથી 138.07 કરોડ રૂપિયાની કુલ રકમ 48,326 ઓરિજનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસબુકવાળા 17,526 એલિજેબલ બોન્ડહોલ્ડર્સને રિફંડ કર્યા છે. તેમાં 70.09 કરોડ રૂપિયા મૂળ રકમ અને 67.98 કરોડ રૂપિયાનું વ્યાજ સામેલ છે. બાકી અરજી બંધ કરી દેવાઈ છે. તેનું કારણ એ છે કે, સહારાની કંપનીઓ તરફથી જે દસ્તાવેજો અપાયા હતા, તેમાં તેમનો રેકોર્ડ મળ્યો નથી. સાથે જ ઘણા બોન્ડહોલ્ડર્સએ સેબીના સવાલોનો જવાબ નથી આપ્યો, એટલે તેમની અરજીને બંધ કરી દેવાઈ છે.

Related posts

અદાણી-હિંડનબર્ગ કેસમાં CBI તપાસની જરૂર નથી : સુપ્રીમ

aapnugujarat

पिछले साल हुए 71500 करोड़ रुपए के बैंक फ्रॉड, RBI ने दी जानकारी

aapnugujarat

भारत में लॉन्च नहीं होगी फेसबुक की क्रिप्टोकरंसी लिब्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1