ભારત અને અમેરિકા વચ્ચેની વેપારી મિત્રતા વધુ ગાઢ બનાવવા માટે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફ્રન્ટ (યુએસઆઈએસપીએફ)ની રચના કરાઈ છે.યુએસઆઈએસપીએફના નિવેદનમાં જણાવ્યું છે કે આ બિનનફાકારક સંગઠનનો આશય દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાનો છે. સંગઠન આ સાથે નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે અર્થસભર તકોનું સર્જન કરશે. સંગઠન ઉદ્યોગો અને સરકાર સાથે મળીને આર્થિક વૃદ્ધિ, રોજગારી અંગેના સુચનો, મૂડીરોકાણ, વિસ્તૃતિકરણ અને ઉદ્યોગ-સાહસિકતામાં પણ સક્રિય ભૂમિકા ભજવશે. યુએસઆઈએસપીએફના બોર્ડ ઓફ ડાયરેકટર્સન ચેરમેન જ્હોન ચેમ્બર્સ, વાઈસ ચેરમેન પુનીત રંજન અને એડવર્ડ મોન્સર (ચેરમેન ઈમર્સન ઈલેક્રિટક)નો સમાવેશ થાય છે. આ પૈકી ચેમ્બર્સ સિસ્કોના ઈન્ટેરીમ ચેરમેન છે. બોર્ડના અન્ય સભ્યોમાં પેપ્સિકોના ચેરપર્સન અને સીઈઓ ઈન્દિરા નૂયી અને માસ્ટર કાર્ડના ચેરમેન અજય બંગાનો પણ સમાવેશ થાય છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ