Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વર્કિગ કમિટીની બેઠક બોલાવી

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ પાર્ટીનું ચિંતન શિબિર ૧૩ થી ૧૫ મે સુધી ચાલશે. આ પહેલા સોનિયા ગાંધીએ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. આવી સ્થિતિમાં આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ૯મી મેના રોજ વર્કિંગ કમિટીની બેઠકના દિવસે સંદેશો અપાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હવે ઘણા રાજ્યોમાં તણાવની ઘટનાઓને લઈને ભાજપ અને તેના સહયોગી પક્ષો પર વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે ૯ મેના રોજ પાર્ટી હેડક્વાર્ટરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઉદયપુરમાં યોજાનાર ચિંતન શિવિરના કાર્યક્રમને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે, પરંતુ સોનિયા ગાંધી આ દિવસે એક સંદેશ જારી કરીને ભાજપ પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે ભાજપ જ્યાં નબળા છે ત્યાં તણાવ પેદા કરીને રાજનીતિ કરીને સત્તામાં આવવા માંગે છે. ચૂંટણી પૂરી થાય એટલે ટેન્શન પણ ખતમ થઈ જાય. જેમ યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થયું.
રાજસ્થાનમાં જે રીતે ભાજપે ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે, ત્યારથી કોંગ્રેસ હાઈકમાન્ડ દેશના વિવિધ રાજ્યોમાં બનેલી ઘટનાઓને લઈને ભાજપ અને તેના સહયોગી પક્ષોને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યું છે, તેથી જ સોનિયા ગાંધી પોતે આગળ આવ્યા છે અને આ મોરચો સંભાળશે. રાજસ્થાનના મામલામાં ભાજપ ગેહલોત અને તેમની સરકારને નિશાન બનાવી રહી છે. કોંગ્રેસનું માનવું છે કે આખો મામલો રાજસ્થાન પર કેન્દ્રિત કરવાને બદલે બાકીના રાજ્યોમાં બનતી ઘટનાઓ માટે ભાજપને ઘેરવું જાેઈએ, તેથી કોંગ્રેસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટક પર ભાજપને ઘેરવા માંગે છે.
કોંગ્રેસે ઉદયપુરમાં ૧૩ થી ૧૫ મે દરમિયાન ત્રણ દિવસીય ચિંતન શિબિર બોલાવી છે. તેમાં ભાગ લેવા આગેવાનોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દરેકને ૧૨ મે સુધીમાં આવવાનું કહેવામાં આવ્યું છે. ત્રણ દિવસીય શિબિરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજરી આપે તેવી શક્યતા છે. આ શિબિરમાં ૪૦૦થી વધુ આગેવાનો ભાગ લેશે. સોનિયા ગાંધીએ ચિંતન શિબિર દરમિયાન રાજકીય અને સંગઠનાત્મક મહત્વ, સામાજિક ન્યાય, અર્થતંત્ર, ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ૬ પેનલની પણ રચના કરી છે.
શિબિરમાં નેતૃત્વ પરિવર્તન અને આંતરિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.,આગામી રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સંગઠનને મજબુત બનાવવા માટેના પગલાઓ અંગે વિચારણા કરવામાં આવશે.

Related posts

રહેવાનાં મામલે પુણે સૌથી શ્રેષ્ઠ

aapnugujarat

પુલવામા જિલ્લાનાં સંબુરા ગામમાં જૈશનો ટોપ કમાન્ડર મોતને ઘાટ ઉતારી દેવાયો

aapnugujarat

बिहार में एनडीए की जीत लेकिन नीतीश बाबू की हुई हार : शिवसेना

editor

Leave a Comment

UA-96247877-1