નાગને મારવા પર નાગિનનો બદલો લેવાની કેટલીક ફિલ્મ તમે જોઇ હશે, જેમાં નાગને મારનારાઓને નાગિન આંખમાં વસાવી લે છે અને તેનો જીવ લઇ લે છે. મધ્ય પ્રદેશના સીહોરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.
બુધનીમાં બદલાની આગમાં નાગિને નાગને મારનારા વ્યક્તિના પુત્રને ડસીને મોતને ઘાટ ઉતારી દીધો છે. કહેવામાં આવી રહ્યુ છે કે નાગિનના ડસ્યા બાદ બાળક બુમો પાડવા લાગ્યો હતો જે બાદ પરિવારજનો જાગ્યા હતા અને તેને ઉતાવળમાં હોશંગાબાદની જિલ્લા હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોએ બાળકની ગંભીર સ્થિતિ જોઇ તેને ભોપાલ રેફર કરી દીધો હતો. આ દરમિયાન રસ્તામાં જ તેનું મોત થયુ હતુ. બીજી તરફ ડસનારા સાપને પરિવારજનોએ રાત્રે જ મારી નાખ્યો હતો. જાણકારી અનુસાર બુધની તાલુકા અંતર્ગત આવતા જોશીપુર ગામમાં કિશોરી લાલ પોતાના પરિવાર સાથે રહે છે.
કિશોરી લાલ મહેનત મજૂરી કરી પોતાના પરિવારનું પેટ ભરે છે. નવરાત્રિ દરમિયાન ગુરૂવાર સવારે 8થી 9 વાગ્યે તેમના ઘરની પાસે એક સાંપ નીકળ્યો હતો, જેને કિશોરી લાલ અને તેમના પરિવારજનોએ મારીને ફેકી દીધો હતો અને પોતાની પૂજા-પાઠમાં લાગી ગયા હતા.
24 કલાકની અંદર સાપે લીધો બદલો
આ ઘટનાને 24 કલાક પણ વિત્યા નહતા કે રાત્રે આશરે 2.00 વાગ્યે એક બીજા સાંપે ઘરમાં ઉંઘી રહેલા કિશોરી લાલના 12 વર્ષના પુત્ર રોહિતને ડસી લીધો હતો. તે બાદ રોહિતે બુમો પાડતા ઘરના તમામ લોકો જાગી ગયા હતા અને રોહિતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, રસ્તામાં જ તેનું મોત થયુ હતુ.