Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લા પ્રશાસને વિવિધ સંસ્થાઓના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલ્યા

રાજ્ય સરકારના આપત્તિ નિવારણ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લા કલેકટર પી.ભારતીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પ્રશાસને રાજ્યના પૂર અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલવાની કામગીરી હાથ ધરી છે. તદઅનુસાર, સોમવારના રોજ અટલાદરા અને કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરોના સહયોગથી ૧૫ હજાર ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવ્યા હતા. તેની ખેપ આજે સવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પહોંચાડવામાં આવી હતી. આજે પણ ફૂડ પેકેટસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને લગભગ ૨૦ હજાર વધુ ફૂડ પેકેટસ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવશે તેમ પ્રાંત અધિકારી (વડોદરા શહેર) શ્રી ડી.આર.પટેલ દ્વારા જણાવાયુ છે.

Related posts

अहमदाबादः स्वाइन फ्लू के आज ३३ केस सामने आए

aapnugujarat

પેટ્રોલ પંપધારકો લાયસન્સ લેવામાંથી મુક્ત, ખરીદ વેચાણ અને સંગ્રહ બન્યું ફ્રી

aapnugujarat

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મહિલાઓને આર્થિક રીતે પગભર કરતો પ્રોજેકટ એટલે ‘‘પિન્ક ઓટો રીક્ષા પ્રોજેકટ’’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1