રાજ્ય સરકારના આપત્તિ નિવારણ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લા કલેકટર પી.ભારતીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પ્રશાસને રાજ્યના પૂર અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલવાની કામગીરી હાથ ધરી છે. તદઅનુસાર, સોમવારના રોજ અટલાદરા અને કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરોના સહયોગથી ૧૫ હજાર ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવ્યા હતા. તેની ખેપ આજે સવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પહોંચાડવામાં આવી હતી. આજે પણ ફૂડ પેકેટસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને લગભગ ૨૦ હજાર વધુ ફૂડ પેકેટસ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવશે તેમ પ્રાંત અધિકારી (વડોદરા શહેર) શ્રી ડી.આર.પટેલ દ્વારા જણાવાયુ છે.