દક્ષિણ ગુજરાતના ફેવરીટ પિકનિક સ્પોટ ગણાતા તીથલ ખાતે અષાઢી અમાસની મોટી ભરતીના મોજા ૧૫ ફૂટ ઉંચા ઉછળ્યા હતા. આ તોફાની મોજાના કારણે સ્વામીનારાણય મંદિરની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ ગઈ હતી.તો નવસારી જિલ્લાના જલાલપોરના દરિયાઈ ગામ માછીવાડ દરિયામાં પણ ભરતીના મોજા ૧૪ ફૂટ ઉંચા ઉછળવા સાથે સંરક્ષણ દિવાસને ભેદીને પાણી ગામમાં પ્રવેશી જતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તિથલના દરિયામાં આવેલી ભરતી જોવાનો પર્યટકોને લ્હાવો મળ્યો હતો.રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં આવેલા સહેલાણીઓએ કેમેરામાં ઉછળતા મોજાની તસવીરો કેદ કરી હતી.મોજાએ સ્વામીનારાયણ મંદિરની દિવાલ તોડી નાંખતા પૂજારી સહીત મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા.ભરતી બાદ મંદિરની દિવાલના સમારકામની કામગીરી હાથ ધવામાં આવશે.