Aapnu Gujarat
ગુજરાત

કુંવરજીભાઇ બાવળીયા નવા સુરજદેવળના દર્શને

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ભગવાન સૂર્યનારાયણ તેમજ રાંદલ માતાજીના દર્શન કરવા અને શ્રી નવા સુરજદેવળ ને લગતા પ્રશ્નોને ધ્યાનમાં લઈને મુલાકાત કરવા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પધાર્યા હતા તેમનું શ્રી નવા સુરજદેવળ મંદિર નું સંચાલન કરતા શ્રી સૂર્ય યુવા ગ્રુપના પ્રતાપભાઈ માલા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને શ્રી કુંવરજીભાઈ એ સંધ્યા આરતી ના દર્શન કરી અને પ્રસાદનો પણ લ્હાવો લીધો હતો અને ધન્યતા અનુભવી ખુબ રાજીપો વ્યક્ત કર્યો અને શ્રી સૂર્ય યુવા ગ્રુપના જયરાજભાઈ ખાચર. વનરાજભાઈ ખાચર. યુવરાજભાઇ ખવડ. પ્રતાપભાઈ ખવડ તેમજ શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે મનુભાઈ ગીડા તેમજ કાળુભાઈ ખાચર હડમતીયા વાળા એ હાજરી આપી હતી આ તકે સૂર્ય યુવા ગ્રુપના ભાઈઓ દ્વારા રોડ પાણી વીજળી જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી અને શ્રી નવા સુરજદેવળ મંદિર ગુજરાત રાજ્યમાં એક આગવી ઓળખ સાથે યાત્રાધામ તરીકે વિકસિત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મંદિર બાગ બગીચા તળાવ જેવા વિકાસના કાર્યોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ શ્રી નવા સુરજદેવળ મંદિર ને લગતા પ્રશ્નો તેમજ ઘટતી સુવિધાઓ પૂરી કરવાનું આશ્વાસન અને બાહેધરી આપી હતી.

Related posts

नारोल-हाटकेश्वर सर्किल समेत कई सर्कल अब छोटे किए जाएगे

aapnugujarat

શ્રી રામ જન્મભુમિ તીર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન અંતર્ગત વિરમગામ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

editor

રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું : જીતુ વાઘાણીનું વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1