Aapnu Gujarat
ગુજરાત

ઓઢવમાં કોરોના અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આજરોજ જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, મહિલા સહાય કેન્દ્રના સહયોગ દ્વારા કોરોના અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જણાવાયું હતું કે, આપણે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. મહિલા કાૂનીની કાયદાકીય માહિતી, ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની માહિતી સહિત વિમેન્ટ ચાઈલ્ડ ડેવલપમેન્ટ અંગે ઓનલાઈન માહિતી આપવામાં આવી હતી. બાદમાં બહેનોને વોશિંગ પાઉડર, ફિનાઈલ, લિક્વિડ કેવી રીતે બનાવવું તે અંગે માહિતી અપાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ મીનાબહેનની આગેવાની કરાયું હતું. કાર્યક્રમમાં ૧૮૧ ટીમના કૉ – ઑર્ડિનેટરજિંદલ પટેલ, જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશનના (શ્રી જય માડી) પંકજ બી. પંચાલ, પોલીસ સમનવય અને ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મેનેજર મિલન વાઘેલા, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવિણ વેગડા સહિતના લોકોએ વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

“ગ્લોબલ હેન્ડવોશિંગ ડે – 2021” અંતર્ગત શહેરા સ્કૂલોમાં અનોખી ઉજવણી

editor

ભાનુશાળી કેસ : મનીષા સહિત ૪ આરોપી ભાગેડુ જાહેર કરાયા

aapnugujarat

ડભોઇ – દર્ભાવતીના ધારાસભ્યે લવ જેહાદ બાબતે કાયદો બનાવવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર

editor

Leave a Comment

UA-96247877-1