હિંમતનગરના ચાર યુવાનો પોતાની મારુતિ સીયાજ કાર લઈને રાજસ્થાન પરીક્ષા અર્થે કામકાજ પતાવી હિંમતનગર પરત ફરતા સમયે રાત્રિના સમયમાં ઉદયપુર પાસે લોડીંગ કન્ટેનરની પાછળ પોતાની કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેને પગલે સ્થાનિક પોલીસે જેસીબી મંગાવી સ્થાનિક લોકોની મદદ લઈ ઇજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સ્થાનિક પોલીસે મરણ જનનને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તેના વાલીવારસાને લાશ સોંપવોની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઇ સમગ્ર હિંમતનગરમાં આ ગમખ્વાર અકસ્માતના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હિંમતનગર શોકમગ્ન બન્યું હતું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)