Aapnu Gujarat
ગુજરાત

ઘોર બેદરકારીના કારણે હેરીટેજ સીટીનું સપનુ રોળાયુંઃકોંગ્રેસ

અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના હેરીટેજસીટી બનાવવાનું સપનું આ વર્ષે ફળીભૂત થાય એમ નથી આ માટે શાસકોની ઘોર બેદરકારીના કારણે શહેરના ૬૫ લાખ લોકોનું સપનુ રોળાયુ હોવાનો આક્ષેપ કરીને વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરીજનોની માફી માંગવા સાથે ઉતાવળે ડોઝીયર તૈયાર કરનારા સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે.આ અંગે વિપક્ષનેતા દિનેશશર્માએ એક પ્રતિક્રીયામાં કહ્યુ છે કે,અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના શહેરનો દરજ્જો આપવાના નિર્ણય કરતા પહેલા જ કમિટી દ્વારા ડોઝીયર અધુરી વિગતો સાથેનુ હોઈ પરત મોકલવામાં આવ્યુ છે.આમ વિશ્વસ્તર ઉપર અમદાવાદના લોકો અને અમદાવાદ શહેરની પ્રતિષ્ઠાને હાની પહોંચવા પામી છે.તેમણે આક્ષેપ કરતા કહ્યુ કે,ગત વર્ષે જે સમયે ડોઝીયર તૈયાર કરવામાં ઈરાદાપૂર્વક ઉતાવળ કરવામાં આવી હતી કેમકે જો અમદાવાદ શહેર હેરિટેજ સીટી જાહેર થતુ તો એનો લાભ ભાજપને મળે એવી ગણતરી હતી.પરંતુ આ ગણતરી ઉંધી પડી છે.

Related posts

પૂનમના મેળામાં અંબાજી શહેર બોલ માડી અંબેના નાદથી ગુંજ્યું

aapnugujarat

હાઉસિંગ બોર્ડના પરિવારોને મકાન માલિકી હક્ક અપાશે

aapnugujarat

ઊંઝામાં ૨૦ કરોડનું જીએસટી ચોરી કૌભાંડ

editor

Leave a Comment

UA-96247877-1